Tuesday, March 3, 2026

ટ્રાફિક નિયમ તોડનારા પર મોટો કડક કાયદો, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઇસન્સ રદ કરશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક નિયમોના સતત વધતા ઉલ્લંઘનને રોકવા માટે લાઇસન્સ રદનો વાહનવ્યવહાર વિભાગે હવે વધુ કડક પગલુ લેવાનું નક્કી કર્યું છે. શહેરમાં દરરોજ હજારો લોકો નિયમ તોડે છે, જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને ટ્રાફિક સિસ્ટમ પર ભારે બોજ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને વાહનવ્યવહાર વિભાગે 5 કરતાં વધુ ટ્રાફિક મેમો ધરાવતા વાહનચાલકો સામે સીધી લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવે ટ્રાફિક નિયમના ભંગના પાંચથી વધુ મેમો હશે તો હવે આરટીઓ જ વાહનચાલકોનું લાઈસન્સ રદ કરી શકશે. વાહન વ્યવહાર વિભાગે આ માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જો કે અંતિમ નોટિફિકેશન જાહેર થયા બાદ નિયમ અમલી બની જશે. મળતી માહિતી અનુસાર, વાહન વ્યવહાર વિભાગના મતે જે વાહન ચાલકના નામ પર પાંચથી વધુ મેમો હશે તેને સૌથી પહેલા નોટિસ અપાશે અને જવાબ માંગવામાં આવશે. વાહન ચાલકને સવાલ પૂછવામાં આવશે કે તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ કયા કારણોસર રદ ન કરી શકાય. જવાબના આધારે આરટીઓ લાયસન્સ રદ કરવાની કામગીરી શરૂ કરશે.

અત્યાર સુધી, પોલીસ જ્યારે સતત નિયમ ભંગ કરતી ગાડીઓના નંબરની વિગતો RTOને મોકલે છે, ત્યારબાદ RTO લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરે છે. પરંતુ આ પ્રક્રિયા અત્યંત ધીમી છે અને એક વર્ષમાં માત્ર 2 થી 3 હજાર લાઇસન્સ જ રદ થાય છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે અમદાવાદ સહિત ગુજરાતભરમાં લાખો લોકો નિયમોની અવગણના કરે છે અને તેમના પર અનેક મેમો બાકી હોય છે.

વિભાગના આંકડાઓ મુજબ હાલમાં 5થી વધુ મેમો ધરાવતા વાહનચાલકોની સંખ્યા એક લાખથી પણ વધુ છે. આ લોકો સતત નિયમોનો ભંગ કરે છે પરંતુ કાયદાની ધીમી પ્રક્રિયા કારણે તેઓ પર અસરકારક કાર્યવાહી થતી નથી.નવા ડ્રાફ્ટ નોટિફિકેશન હેઠળ પોલીસની સૂચના વગર પણ RTO પોતે પ્રાથમિકતા ધરાવતી માહિતી તપાસીને પગલાં લઈ શકશે. એટલે કે, જો કોઈ વાહનચાલક પર નિયમિત મેમો ભરાતા રહે, તો સિસ્ટમ આપમેળે તેને “રેડ લિસ્ટ”માં મૂકી નોટિસ મોકલી દેશે.

નોટિસ મળ્યા બાદ ચાલકને 15 દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે. યોગ્ય કારણો વિના નિયમોનું સતત ઉલ્લંઘન કરનારાઓનું લાઇસન્સ નિશ્ચિત રીતે સસ્પેન્ડ અથવા રદ થશે.

હેલ્મેટ વિના ડ્રાઇવિંગ
સીટબેલ્ટ ન પહેરવી
સ્પીડ લિમિટનો ભંગ
રોહાણ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ
સિગ્નલ તોડવું
મોબાઈલ ફોન પર વાત કરતા વાહન ચલાવવું
આ તમામ ઉલ્લંઘનો માત્ર દંડ નહીં પરંતુ અનેક અકસ્માતોને નિમંત્રણ આપે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...