Thursday, January 15, 2026

ટ્રાફિક નિયમ તોડનારા પર મોટો કડક કાયદો, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઇસન્સ રદ કરશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક નિયમોના સતત વધતા ઉલ્લંઘનને રોકવા માટે લાઇસન્સ રદનો વાહનવ્યવહાર વિભાગે હવે વધુ કડક પગલુ લેવાનું નક્કી કર્યું છે. શહેરમાં દરરોજ હજારો લોકો નિયમ તોડે છે, જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને ટ્રાફિક સિસ્ટમ પર ભારે બોજ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને વાહનવ્યવહાર વિભાગે 5 કરતાં વધુ ટ્રાફિક મેમો ધરાવતા વાહનચાલકો સામે સીધી લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવે ટ્રાફિક નિયમના ભંગના પાંચથી વધુ મેમો હશે તો હવે આરટીઓ જ વાહનચાલકોનું લાઈસન્સ રદ કરી શકશે. વાહન વ્યવહાર વિભાગે આ માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જો કે અંતિમ નોટિફિકેશન જાહેર થયા બાદ નિયમ અમલી બની જશે. મળતી માહિતી અનુસાર, વાહન વ્યવહાર વિભાગના મતે જે વાહન ચાલકના નામ પર પાંચથી વધુ મેમો હશે તેને સૌથી પહેલા નોટિસ અપાશે અને જવાબ માંગવામાં આવશે. વાહન ચાલકને સવાલ પૂછવામાં આવશે કે તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ કયા કારણોસર રદ ન કરી શકાય. જવાબના આધારે આરટીઓ લાયસન્સ રદ કરવાની કામગીરી શરૂ કરશે.

અત્યાર સુધી, પોલીસ જ્યારે સતત નિયમ ભંગ કરતી ગાડીઓના નંબરની વિગતો RTOને મોકલે છે, ત્યારબાદ RTO લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરે છે. પરંતુ આ પ્રક્રિયા અત્યંત ધીમી છે અને એક વર્ષમાં માત્ર 2 થી 3 હજાર લાઇસન્સ જ રદ થાય છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે અમદાવાદ સહિત ગુજરાતભરમાં લાખો લોકો નિયમોની અવગણના કરે છે અને તેમના પર અનેક મેમો બાકી હોય છે.

વિભાગના આંકડાઓ મુજબ હાલમાં 5થી વધુ મેમો ધરાવતા વાહનચાલકોની સંખ્યા એક લાખથી પણ વધુ છે. આ લોકો સતત નિયમોનો ભંગ કરે છે પરંતુ કાયદાની ધીમી પ્રક્રિયા કારણે તેઓ પર અસરકારક કાર્યવાહી થતી નથી.નવા ડ્રાફ્ટ નોટિફિકેશન હેઠળ પોલીસની સૂચના વગર પણ RTO પોતે પ્રાથમિકતા ધરાવતી માહિતી તપાસીને પગલાં લઈ શકશે. એટલે કે, જો કોઈ વાહનચાલક પર નિયમિત મેમો ભરાતા રહે, તો સિસ્ટમ આપમેળે તેને “રેડ લિસ્ટ”માં મૂકી નોટિસ મોકલી દેશે.

નોટિસ મળ્યા બાદ ચાલકને 15 દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે. યોગ્ય કારણો વિના નિયમોનું સતત ઉલ્લંઘન કરનારાઓનું લાઇસન્સ નિશ્ચિત રીતે સસ્પેન્ડ અથવા રદ થશે.

હેલ્મેટ વિના ડ્રાઇવિંગ
સીટબેલ્ટ ન પહેરવી
સ્પીડ લિમિટનો ભંગ
રોહાણ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ
સિગ્નલ તોડવું
મોબાઈલ ફોન પર વાત કરતા વાહન ચલાવવું
આ તમામ ઉલ્લંઘનો માત્ર દંડ નહીં પરંતુ અનેક અકસ્માતોને નિમંત્રણ આપે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...