Tuesday, March 3, 2026

AMCના યુ.સી.ડી વિભાગની સરાહનીય કામગીરી, મગજની તકલીફ ધરાવતા દર્દીને પરિવાર સાથે મળાવ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના યુ.સી.ડી. વિભાગ હંમેશાં શહેરમાં ભટકતા, તકલીફમાં મુકાયેલા તેમજ સંવેદનશીલ પરિસ્થિતિમાં આવેલા નાગરિકોને મદદરૂપ થવા માટે સતત કાર્યરત છે. માનવતાની ભાવનાને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતા આ વિભાગે એક વધુ સરાહનીય કામગીરી કરી છે, જે માનવીય સેવાભાવનું મંત્રને સાર્થક કરે છે.

અમદાવાદના આચાર્ય મહાપ્રજ્ઞજી બ્રિજ નીચે આવેલ આશ્રય ગૃહ ખાતે હર્ષ ઓમપ્રકાશ પાસવાન નામના એક વ્યક્તિને આશ્રય અપાયો હતો. હર્ષ ઓમપ્રકાશ પાસવાન મગજની તકલીફને કારણે વાપી સ્થિત તેમના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા અને અમદાવાદ શહેર સુધી આવી પહોંચ્યા હતા. શહેરમાં ગમેતેમ ભટકતી હાલતમાં તેમને આનંદ ચૌહાણ નામના એક સંવેદનશીલ નાગરિકે ઓળખી લીધા હતા અને તેમને સુરક્ષા અને સહાય મળે તે માટે આશ્રય ગૃહ ખાતે લાવવામાં આવ્યા હતા.

પરિવાર સાથે સંપર્ક અને સુરક્ષિત હસ્તાંતરણ થાય તે માટે આશ્રય ગૃહ ખાતે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, હર્ષ પોતાનો ઘરનો રસ્તો અને પરિવારથી સંબંધિત ચોક્કસ માહિતી યાદ રાખવામાં અસમર્થ છે. તેમ છતાં તેઓ પોતાની બહેનનો મોબાઇલ નંબર આપી શક્યા હતા. યુ.સી.ડી.ની ટીમે તરત જ તેમના પરિવારનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેમના પરિવારજનો વાપીથી ખાસ અમદાવાદ આવ્યા અને આશ્રય ગૃહ ખાતે હાજર થયા હતા.જરૂરી ચકાસણી બાદ હર્ષ ઓમપ્રકાશ પાસવાનને તેમના પરિવારના હવાલે સુરક્ષિત રીતે સુપરત કરવામાં આવ્યા હતા.

આ કામગીરીથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે AMC ના યુ.સી.ડી. વિભાગ દ્વારા શહેરમાં માનવીય મૂલ્યો અને સેવાને કેન્દ્રમાં રાખીને સતત ઝડપી અને અસરકારક કામગીરી થઈ રહી છે. આવા દરેક પ્રયાસો શહેરમાં સુરક્ષા, સંવેદના અને સહઅસ્તિત્વના ભાવને વધુ મજબૂત બનાવે છે. યુ.સી.ડી. વિભાગ દ્વારા શહેરમાં માનવીય મૂલ્યો અને સેવાને કેન્દ્રમાં રાખીને સતત ઝડપી અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...