Thursday, January 15, 2026

AMCના યુ.સી.ડી વિભાગની સરાહનીય કામગીરી, મગજની તકલીફ ધરાવતા દર્દીને પરિવાર સાથે મળાવ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના યુ.સી.ડી. વિભાગ હંમેશાં શહેરમાં ભટકતા, તકલીફમાં મુકાયેલા તેમજ સંવેદનશીલ પરિસ્થિતિમાં આવેલા નાગરિકોને મદદરૂપ થવા માટે સતત કાર્યરત છે. માનવતાની ભાવનાને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતા આ વિભાગે એક વધુ સરાહનીય કામગીરી કરી છે, જે માનવીય સેવાભાવનું મંત્રને સાર્થક કરે છે.

અમદાવાદના આચાર્ય મહાપ્રજ્ઞજી બ્રિજ નીચે આવેલ આશ્રય ગૃહ ખાતે હર્ષ ઓમપ્રકાશ પાસવાન નામના એક વ્યક્તિને આશ્રય અપાયો હતો. હર્ષ ઓમપ્રકાશ પાસવાન મગજની તકલીફને કારણે વાપી સ્થિત તેમના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા અને અમદાવાદ શહેર સુધી આવી પહોંચ્યા હતા. શહેરમાં ગમેતેમ ભટકતી હાલતમાં તેમને આનંદ ચૌહાણ નામના એક સંવેદનશીલ નાગરિકે ઓળખી લીધા હતા અને તેમને સુરક્ષા અને સહાય મળે તે માટે આશ્રય ગૃહ ખાતે લાવવામાં આવ્યા હતા.

પરિવાર સાથે સંપર્ક અને સુરક્ષિત હસ્તાંતરણ થાય તે માટે આશ્રય ગૃહ ખાતે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, હર્ષ પોતાનો ઘરનો રસ્તો અને પરિવારથી સંબંધિત ચોક્કસ માહિતી યાદ રાખવામાં અસમર્થ છે. તેમ છતાં તેઓ પોતાની બહેનનો મોબાઇલ નંબર આપી શક્યા હતા. યુ.સી.ડી.ની ટીમે તરત જ તેમના પરિવારનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેમના પરિવારજનો વાપીથી ખાસ અમદાવાદ આવ્યા અને આશ્રય ગૃહ ખાતે હાજર થયા હતા.જરૂરી ચકાસણી બાદ હર્ષ ઓમપ્રકાશ પાસવાનને તેમના પરિવારના હવાલે સુરક્ષિત રીતે સુપરત કરવામાં આવ્યા હતા.

આ કામગીરીથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે AMC ના યુ.સી.ડી. વિભાગ દ્વારા શહેરમાં માનવીય મૂલ્યો અને સેવાને કેન્દ્રમાં રાખીને સતત ઝડપી અને અસરકારક કામગીરી થઈ રહી છે. આવા દરેક પ્રયાસો શહેરમાં સુરક્ષા, સંવેદના અને સહઅસ્તિત્વના ભાવને વધુ મજબૂત બનાવે છે. યુ.સી.ડી. વિભાગ દ્વારા શહેરમાં માનવીય મૂલ્યો અને સેવાને કેન્દ્રમાં રાખીને સતત ઝડપી અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...