Monday, March 2, 2026

અમદાવાદીઓ થઈ જાવ તૈયાર…! 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો થશે પ્રારંભ, જાણો 7 દિવસના કાર્યક્રમનું લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ હવે કાંકરિયા કાર્નિવલ માટે તૈયાર થઈ જાવ…અમદાવાદમાં તારીખ 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રૂ. 5થી 6 કરોડના ખર્ચે યોજાનાર આ મહોત્સવમાં અવનવા કાર્યક્રમો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. કાંકરિયા કાર્નિવલને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અમદાવાદમાં વર્ષના અંતે સૌથી લોકપ્રિય આયોજન એવા કાંકરિયા કાર્નિવલની શરૂઆત આગામી તારીખ 25 ડિસેમ્બરથી થશે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઉત્સવ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે. આ કાર્નિવલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ વર્ષે મુલાકાતીઓ માટે એન્ટ્રી સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવી છે. આશરે રૂપિયા 5થી 6 કરોડના ખર્ચે યોજાનારા આ મહોત્સવમાં અવનવા કાર્યક્રમોનું આયોજન થશે.

આ વખતનું મુખ્ય આકર્ષણ એ છે કે, પહેલીવાર એક સાથે 3 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેવા કે કિર્તીદાન ગઢવી, ગીતા રબારી, પાર્થ ઓઝા અને મનન દેસાઈ પરફોર્મ કરશે. આ સાથે લેઝર શો અને નેલ આર્ટ જેવા કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.આ કાર્નિવલ પાછળ અંદાજિત રૂપિયા 5થી 6 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ શહેરના લોકોને વર્ષના અંતે એક યાદગાર ઉત્સવની ભેટ આપશે.

સાત દિવસના આ કાંકરિયા કાર્નિવલમાં ગુજરાતી ગાયક-કલાકારો વિગતો

25 ડિસેમ્બરે કિર્તીદાન ગઢી અને પ્રિયંકા બાસુ એન્ડ ઓરકેસ્ટ્રા…
26 ડિસેમ્બરે સંકેત ખંડેર બેન્ડ…
27 ડિસેમ્બરે પાર્થ ઓઝા અને શિવાની દેસાઈ…
28 ડિસેમ્બરે ગીતાબેન રબારી અને નિરજ ગજ્જર તથા અક્ષય તમયચે અને મિતાલી નાગ લાઈવ કોન્સર્ટ કરશે..
29 ડિસેમ્બરે મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી સ્ટેન્ડ અપ કોમેડી લવારી શો..
30 ડિસેમ્બરે બ્રીજદાન ગઢવી…
31 ડિસેમ્બરે ઇશાની દવે મ્યુઝિક પર્ફોર્મન્સ કરશે…

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...