Thursday, January 15, 2026

અમદાવાદીઓ થઈ જાવ તૈયાર…! 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો થશે પ્રારંભ, જાણો 7 દિવસના કાર્યક્રમનું લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ હવે કાંકરિયા કાર્નિવલ માટે તૈયાર થઈ જાવ…અમદાવાદમાં તારીખ 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રૂ. 5થી 6 કરોડના ખર્ચે યોજાનાર આ મહોત્સવમાં અવનવા કાર્યક્રમો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. કાંકરિયા કાર્નિવલને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અમદાવાદમાં વર્ષના અંતે સૌથી લોકપ્રિય આયોજન એવા કાંકરિયા કાર્નિવલની શરૂઆત આગામી તારીખ 25 ડિસેમ્બરથી થશે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઉત્સવ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે. આ કાર્નિવલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ વર્ષે મુલાકાતીઓ માટે એન્ટ્રી સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવી છે. આશરે રૂપિયા 5થી 6 કરોડના ખર્ચે યોજાનારા આ મહોત્સવમાં અવનવા કાર્યક્રમોનું આયોજન થશે.

આ વખતનું મુખ્ય આકર્ષણ એ છે કે, પહેલીવાર એક સાથે 3 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેવા કે કિર્તીદાન ગઢવી, ગીતા રબારી, પાર્થ ઓઝા અને મનન દેસાઈ પરફોર્મ કરશે. આ સાથે લેઝર શો અને નેલ આર્ટ જેવા કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.આ કાર્નિવલ પાછળ અંદાજિત રૂપિયા 5થી 6 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ શહેરના લોકોને વર્ષના અંતે એક યાદગાર ઉત્સવની ભેટ આપશે.

સાત દિવસના આ કાંકરિયા કાર્નિવલમાં ગુજરાતી ગાયક-કલાકારો વિગતો

25 ડિસેમ્બરે કિર્તીદાન ગઢી અને પ્રિયંકા બાસુ એન્ડ ઓરકેસ્ટ્રા…
26 ડિસેમ્બરે સંકેત ખંડેર બેન્ડ…
27 ડિસેમ્બરે પાર્થ ઓઝા અને શિવાની દેસાઈ…
28 ડિસેમ્બરે ગીતાબેન રબારી અને નિરજ ગજ્જર તથા અક્ષય તમયચે અને મિતાલી નાગ લાઈવ કોન્સર્ટ કરશે..
29 ડિસેમ્બરે મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી સ્ટેન્ડ અપ કોમેડી લવારી શો..
30 ડિસેમ્બરે બ્રીજદાન ગઢવી…
31 ડિસેમ્બરે ઇશાની દવે મ્યુઝિક પર્ફોર્મન્સ કરશે…

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...