Wednesday, March 4, 2026

શહેરમાં 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાશે, AMC દ્વારા હાઈટ બેરિયર લગાવાશે, જુઓ સંપૂર્ણ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ બાદ હવે એએમસી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 16 જૂના ઓવરબ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ પરથી ભારે વાહનો પસાર ન થયા તે માટે AMC દ્વારા રિસ્ટ્રીક્ટેડ હાઈટ બેરિયર લગાવાશે. આમ તમામ 16 બ્રિજ પર રૂ. 2.49 કરોડના ખર્ચે બેરિયર લગાવવાની કામગીરી કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ બાદ હવે એએમસી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં 16 બ્રિજ પર ભારે લોડિંગ વાહનો પસાર ન થાય તેને લઈને એએમસી દ્વારા રોક લગાવવામાં આવશે. સમગ્ર મામલે એએમસી દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં 3 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં 25 વર્ષ કે તેનાથી જૂના જે પણ બ્રિજ છે ત્યાં હાઈટ બેરિયર મુકવામાં આવશે. મળતી માહિતી અનુસાર આ કામગીરી છ મહિનામાં પૂર્ણ થશે.

એએમસી દ્વારા આ નિર્ણય સુભાષ બ્રિજ બેસી ગયા બાદ લેવામાં આવ્યો છે. શહેરના સૌથી વ્યસ્ત અને મહત્વના કનેક્ટિવિટી પોઇન્ટ એવા સુભાષ બ્રિજ પર ઉદ્ભવેલી માળખાકીય ચિંતાઓ હવે ગંભીર દિશામાં આગળ વધી રહી છે. ગત 4 ડિસેમ્બરથી પ્રાથમિક સુરક્ષા કારણોસર બ્રિજને પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન મળેલા નવા તારણો બાદ બ્રિજ હવે 25 ડિસેમ્બર સુધી જાહેર અવરજવર માટે સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

પ્રાથમિક તપાસોમાં બ્રિજના પાનમાં તિરાડોની માહિતી બહાર આવી હતી, પરંતુ ત્યારબાદ નિષ્ણાતોએ ફાઉન્ડેશન સ્તરે ચકાસણી શરૂ કરી ત્યારે કેટલીક બીજી તકનીકી શંકાઓ ઊભી થઈ છે. તંત્રને શંકા છે કે બ્રિજના સુપર સ્ટ્રક્ચર સિવાય ફાઉન્ડેશનના કેટલાક ભાગોની વિગતવાર ન્યૂનતમ શક્તિ ચકાસવાની પણ જરૂર પડશે. આ બદલાતી તપાસને કારણે હવે બ્રિજ લાંબા સમય સુધી બંધ રહેવાની શક્યતા વધુ સ્પષ્ટ બની છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...