Tuesday, March 3, 2026

અમદાવાદમાં સતત બીજા દિવસે આગની ઘટના, ચાંદખેડામાં પેલેડિયમ બિઝનેસ હબમાં લાગેલી આગ કાબૂમાં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગઈકાલે સાયન્સ સીટી વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સમાં લાગેલ આગ બાદ સતત બીજા દિવસે ચાંદખેડા વિસ્તારમાં પેલેડિયમ બિઝનેસ હબમાં આગનો બનાવ બન્યો હતો. શનિવારના બપોરના સમયે એકાએક ચાંદખેડા વિસ્તારના જાણીતા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગ લાગી હતી. જે અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ ફાયર વિભાગના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમતબાદ આગ કાબૂમાં આવી હતી. આ આગને લીધે આસપાસના લોકોમાં ભયનો માહોલ જામ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ચાંદખેડામાં આવેલા વિસત ગાંધીનગર હાઈવે પર 4D મૉલની સામે આવેલા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આવેલા મલબેરી થાઈ સ્પા નામના સ્પા સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં 6થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી.હાલ તકેદારીના ભાગરૂપે તાત્કાલિક બિલ્ડિંગનું કોમ્પલેક્ષ સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિના કે કોઈ ફસાયું હોવાના અહેવાલ નથી.

આગના ગોટેગોટા દેખાતા આસપાસના લોકોમાં ડરનો માહોલ દેખાયો છે. હાલ આગ લાગવાનું કારણ કોઈ ચોક્કસ સામે આવ્યું નથી. પોલીસ અને ફાયરના જવાનો દ્વારા આગના બનાવનું કારણ શોધવામાં આવી રહ્યું છે. પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આવેલા એક શૉ રૂમમાં આગ લાગી હતી. આ ભીષણ આગમાં માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

આગ બુઝાવવાની કામગીરી માટે કુલ 17 વાહનો સ્થળ પર કાર્યરત કરવામાં આવ્યા હતા, જેમાં 5 વોટર બાઉઝર (20 KL), 2 મિનિ ફાઇટર, 6 ફર્સ્ટ રિસ્પોન્ડર (બોલેરો), 2 એમ્બ્યુલન્સ, 1 ફર્સ્ટ રિસ્પોન્ડર સોકરપ્યો તથા 1 ઇમર્જન્સી ટેન્ડરનો સમાવેશ થાય છે. આગ પર કાબૂ મેળવવા માટે કુલ અંદાજિત 1,00,000 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં કુલ 56 ફાયર કર્મચારીઓ જોડાયા હતા.

આ અગાઉ સાયન્સસિટી વિસ્તારમાં આવેલા આવેલા પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સના ત્રીજા માળે બની હતી. કોમ્પ્લેક્સમાંથી લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાના મેસેજ મળતાં ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...