અમદાવાદ : અમદાવાદની જાણીતી સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સેવન્થ-ડે સ્કૂલનો વહીવટ હવે રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ મુજબ, સેવન્થ-ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવ્યો છે. સ્કૂલમાં હવે પછી નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે નહીં.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલનો વહીવટ હવે રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ મુજબ, સેવન્થ-ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી વહીવટકર્તા હશે.
આ નિર્ણયથી હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર નહીં થાય. હાલમાં આ શાળામાં આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેઓ વર્તમાન વ્યવસ્થા હેઠળ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. સરકારે સેવન્થ-ડે કેમ્પસમાં આવેલી તમામ શાળાઓનો વહીવટ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગનો આ નિર્ણય ખાનગી શાળાઓના વહીવટ અને ભવિષ્યના પ્રવેશ અંગે મહત્વની અસર કરી શકે છે.
શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ એક મોટો વિવાદ ઊભો થયો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીને તેના જ જુનિયર વિદ્યાર્થીએ છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટના નાની ઝઘડામાંથી શરૂ થઈ હતી, પરંતુ વિદ્યાર્થીને સમયસર તબીબી મદદ ન મળવાથી તેનું મોત થયું હતું.
સ્કૂલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લાગ્યા કે તેઓએ બેદરકારી દાખવી હતી. તેમણે ઘટનાની જાણ ન કરી અને પહેલાની બુલિંગની ફરિયાદો અવગણી હતી. આનાથી રોષ ફેલાયો હતો અને વાલીઓ તથા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આ મામલે રોષે ભરાયેલા વાલીઓ દ્વારા સ્કૂલમાં તોડફોડ કરાઈ હતી અને મણિનગર-ખોખરા વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો હતો.


