Thursday, March 5, 2026

બે મહિલાઓએ ભારે કરી ! પોલીસને લાફા ઝીંકી પોલીસ સ્ટેશન સળગાવવાની આપી ધમકી, મહિલાઓ વિરુદ્ધ FIR

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નિકોલ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કર્મચારીઓ સાથે થયેલા ઝઘડા બાદ બે મહિલાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જયાં આરોપીની પત્ની મહિલાએ એક મહિલા પોલીસ કર્મચારી સહિત ચાર લોકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને પોલીસ સ્ટેશન સળગાવી દેવાનું પણ કહ્યુ હતું. બે મહિલાઓ પોલીસ સ્ટેશન ઓફિસરને પૂછ્યા વગર લોકઅપમાં બંધ આરોપીને મળવા માટે પહોચી ગઈ હતી. જેને લઈને મામલો બીચક્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી દેવલબેન બળદેવભાઈએ હિનલ સિંગોલિયા અને વિશાખાબેન મકાવાણા વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દેવલબેન 14મી ડિસેમ્બરના પોતાની ફરજ પર હાજર હતા તે દરમિયાન રાત્રીના પોણા અગિયાર વાગ્યાની આસપાસ લોકઅપમાં રહેલા આરોપી હિતેન્દ્ર સિંગોલિયાને મળવા માટે એક મહિલા આવી હતી. જે મહિલા પોલીસની મંજૂરી વગર લોકઅપમાં રહેલા આરોપી સાથે વાતચીત કરવા લાગી હતી. જેથી પીએસઓએ તેઓને વાતચીત કરતા રોક્યા હતા. જે કસ્ટડી હેઠળના આરોપીઓને સીધી પહોંચ આપવા માટે પ્રતિબંધિત કરતી કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન છે.

જ્યારે પીએસઓ દેવલબેને દરમિયાનગીરી કરી અને હિનલને દૂર જવા કહ્યું, ત્યારે હિનલ કથિત રીતે આક્રમક બની ગઈ, અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો અને પોલીસ સ્ટેશનને આગ લગાવી દેવાની અને પીએસઓને મારી નાખવાની ધમકી આપી. પોલીસ સૂત્રો કહે છે કે ઝપાઝપી પછી હિનલ પર મહિલા સ્ટાફ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની ભાભી, વિશાખા મકવાણા પણ ઘર્ષણમાં ઉતરી હતી.

ઘટના બાદ, નિકોલ પોલીસે બંને મહિલાઓ સામે ગુનાહિત ધાકધમકી, સરકારી કર્મચારીઓને અવરોધવા અને અપશબ્દોનો ઉપયોગ કરવા સંબંધિત કલમો હેઠળ FIR નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...