Saturday, January 24, 2026

બે મહિલાઓએ ભારે કરી ! પોલીસને લાફા ઝીંકી પોલીસ સ્ટેશન સળગાવવાની આપી ધમકી, મહિલાઓ વિરુદ્ધ FIR

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નિકોલ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કર્મચારીઓ સાથે થયેલા ઝઘડા બાદ બે મહિલાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જયાં આરોપીની પત્ની મહિલાએ એક મહિલા પોલીસ કર્મચારી સહિત ચાર લોકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને પોલીસ સ્ટેશન સળગાવી દેવાનું પણ કહ્યુ હતું. બે મહિલાઓ પોલીસ સ્ટેશન ઓફિસરને પૂછ્યા વગર લોકઅપમાં બંધ આરોપીને મળવા માટે પહોચી ગઈ હતી. જેને લઈને મામલો બીચક્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી દેવલબેન બળદેવભાઈએ હિનલ સિંગોલિયા અને વિશાખાબેન મકાવાણા વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દેવલબેન 14મી ડિસેમ્બરના પોતાની ફરજ પર હાજર હતા તે દરમિયાન રાત્રીના પોણા અગિયાર વાગ્યાની આસપાસ લોકઅપમાં રહેલા આરોપી હિતેન્દ્ર સિંગોલિયાને મળવા માટે એક મહિલા આવી હતી. જે મહિલા પોલીસની મંજૂરી વગર લોકઅપમાં રહેલા આરોપી સાથે વાતચીત કરવા લાગી હતી. જેથી પીએસઓએ તેઓને વાતચીત કરતા રોક્યા હતા. જે કસ્ટડી હેઠળના આરોપીઓને સીધી પહોંચ આપવા માટે પ્રતિબંધિત કરતી કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન છે.

જ્યારે પીએસઓ દેવલબેને દરમિયાનગીરી કરી અને હિનલને દૂર જવા કહ્યું, ત્યારે હિનલ કથિત રીતે આક્રમક બની ગઈ, અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો અને પોલીસ સ્ટેશનને આગ લગાવી દેવાની અને પીએસઓને મારી નાખવાની ધમકી આપી. પોલીસ સૂત્રો કહે છે કે ઝપાઝપી પછી હિનલ પર મહિલા સ્ટાફ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની ભાભી, વિશાખા મકવાણા પણ ઘર્ષણમાં ઉતરી હતી.

ઘટના બાદ, નિકોલ પોલીસે બંને મહિલાઓ સામે ગુનાહિત ધાકધમકી, સરકારી કર્મચારીઓને અવરોધવા અને અપશબ્દોનો ઉપયોગ કરવા સંબંધિત કલમો હેઠળ FIR નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...