Thursday, March 5, 2026

AMCની કડક કાર્યવાહી, જાહેર રસ્તા અને ફૂટપાથ પર વાહન પાર્કિંગથી વધતી ટ્રાફિક સમસ્યા અંગે બે દિવસમાં 384 નોટિસ અપાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં જાહેર રસ્તા, ટી.પી. રોડ તથા ફૂટપાથ પર ગેરકાયદે વાહન પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત માત્ર બે દિવસમાં અંદાજિત 384 નોટિસો આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, શહેરના અનેક રહેણાંક તથા વાણિજ્યિક બિલ્ડીંગોમાં પ્લોટની અંદર જરૂરી પાર્કિંગ વ્યવસ્થા ન રાખી, જાહેર ટી.પી. રોડ, ફૂટપાથ તથા અન્ય જાહેર જગ્યાઓ પર પરવાનગી વગર વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ગંભીર અડચણો ઊભી થઈ રહી છે. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સંબંધિત તમામ માલિકો, હાઉસિંગ એસોસિએશન, ચેરમેન, સેક્રેટરી, બિલ્ડીંગ માલિકો, કબ્જેદારો તથા વપરાશકર્તાઓને નીતિ-નિયમો અનુસાર ફરજિયાત રીતે પોતાના વાહનોનું પાર્કિંગ પ્લોટ અથવા પ્રિમાઇસીસની અંદર જ કરવા સૂચના આપવામાં આવી છે અને જ્યાં ઇમ્પ્લીમેન્શન નથી થઈ રહ્યું ત્યાં નોટિસ પણ આપવામાં આવી છે.

AMC દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દરેક બિલ્ડીંગમાં પાર્કિંગ માટે યોગ્ય સાઇનેજ અને વ્યવસ્થા ઊભી કરવી તેમજ બિલ્ડીંગની બહાર આવેલા મ્યુનિસિપલ રસ્તા, ફૂટપાથ અથવા જાહેર જગ્યાઓમાં પાર્કિંગ ન થાય તે માટે કાયમી નિયંત્રણ વ્યવસ્થા અમલમાં મૂકવી ફરજિયાત રહેશે.આ સાથે, બિલ્ડીંગની ફ્રન્ટ માર્જિન વિસ્તારમાં માલ-સામાન મૂકી દબાણ ન થાય તે માટે જરૂરી પગલાં લેવા તેમજ પાર્કિંગમાં અવરોધરૂપ બને તેવા ઓટલા, લેન્ડસ્કેપિંગ તથા અન્ય અડચણો તાત્કાલિક દૂર કરી ખુલ્લી જગ્યાનો ઉપયોગ પાર્કિંગ હેતુસર કરવા પણ સૂચના આપવામાં આવી છે.

આ બાબતે નોંધનીય છે કે અગાઉ પણ AMC દ્વારા આ મુદ્દે નોટિસો આપવામાં આવી ચૂકી છે અને નાગરિકોને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સતત જાગૃત કરવામાં આવ્યા છે. ખાસ કરીને ફૂટપાથ પર વાહન પાર્કિંગ ન કરવું, જાહેર માર્ગોને અવરોધરૂપ ન બનાવવું અને પોતાના વાહનો પોતાની પ્રિમાઇસીસની અંદર જ પાર્ક કરવા અંગે નાગરિકોને સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે.

AMC દ્વારા અંતમાં જણાવવામાં આવ્યું છે કે જો ઉપરોક્ત સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે તો માનનીય ગુજરાત હાઇકોર્ટના આદેશો તથા માર્ગદર્શિકાઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકો પોતે જ ટ્રાફિક વ્યવસ્થાપન અંગે જાગૃત બની નિયમોનું પાલન કરશે તો અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા નોંધપાત્ર રીતે હળવી બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...