Thursday, January 22, 2026

AMCની કડક કાર્યવાહી, જાહેર રસ્તા અને ફૂટપાથ પર વાહન પાર્કિંગથી વધતી ટ્રાફિક સમસ્યા અંગે બે દિવસમાં 384 નોટિસ અપાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં જાહેર રસ્તા, ટી.પી. રોડ તથા ફૂટપાથ પર ગેરકાયદે વાહન પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત માત્ર બે દિવસમાં અંદાજિત 384 નોટિસો આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, શહેરના અનેક રહેણાંક તથા વાણિજ્યિક બિલ્ડીંગોમાં પ્લોટની અંદર જરૂરી પાર્કિંગ વ્યવસ્થા ન રાખી, જાહેર ટી.પી. રોડ, ફૂટપાથ તથા અન્ય જાહેર જગ્યાઓ પર પરવાનગી વગર વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ગંભીર અડચણો ઊભી થઈ રહી છે. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સંબંધિત તમામ માલિકો, હાઉસિંગ એસોસિએશન, ચેરમેન, સેક્રેટરી, બિલ્ડીંગ માલિકો, કબ્જેદારો તથા વપરાશકર્તાઓને નીતિ-નિયમો અનુસાર ફરજિયાત રીતે પોતાના વાહનોનું પાર્કિંગ પ્લોટ અથવા પ્રિમાઇસીસની અંદર જ કરવા સૂચના આપવામાં આવી છે અને જ્યાં ઇમ્પ્લીમેન્શન નથી થઈ રહ્યું ત્યાં નોટિસ પણ આપવામાં આવી છે.

AMC દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દરેક બિલ્ડીંગમાં પાર્કિંગ માટે યોગ્ય સાઇનેજ અને વ્યવસ્થા ઊભી કરવી તેમજ બિલ્ડીંગની બહાર આવેલા મ્યુનિસિપલ રસ્તા, ફૂટપાથ અથવા જાહેર જગ્યાઓમાં પાર્કિંગ ન થાય તે માટે કાયમી નિયંત્રણ વ્યવસ્થા અમલમાં મૂકવી ફરજિયાત રહેશે.આ સાથે, બિલ્ડીંગની ફ્રન્ટ માર્જિન વિસ્તારમાં માલ-સામાન મૂકી દબાણ ન થાય તે માટે જરૂરી પગલાં લેવા તેમજ પાર્કિંગમાં અવરોધરૂપ બને તેવા ઓટલા, લેન્ડસ્કેપિંગ તથા અન્ય અડચણો તાત્કાલિક દૂર કરી ખુલ્લી જગ્યાનો ઉપયોગ પાર્કિંગ હેતુસર કરવા પણ સૂચના આપવામાં આવી છે.

આ બાબતે નોંધનીય છે કે અગાઉ પણ AMC દ્વારા આ મુદ્દે નોટિસો આપવામાં આવી ચૂકી છે અને નાગરિકોને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સતત જાગૃત કરવામાં આવ્યા છે. ખાસ કરીને ફૂટપાથ પર વાહન પાર્કિંગ ન કરવું, જાહેર માર્ગોને અવરોધરૂપ ન બનાવવું અને પોતાના વાહનો પોતાની પ્રિમાઇસીસની અંદર જ પાર્ક કરવા અંગે નાગરિકોને સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે.

AMC દ્વારા અંતમાં જણાવવામાં આવ્યું છે કે જો ઉપરોક્ત સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે તો માનનીય ગુજરાત હાઇકોર્ટના આદેશો તથા માર્ગદર્શિકાઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકો પોતે જ ટ્રાફિક વ્યવસ્થાપન અંગે જાગૃત બની નિયમોનું પાલન કરશે તો અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા નોંધપાત્ર રીતે હળવી બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...