Friday, April 24, 2026

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો : આ તારીખે PM મોદી સચિવાલય-મહાત્મા મંદિર રૂટને ફ્લેગ ઓફ કરે તેવી શક્યતા !

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અને રાજ્યની રાજધાની ગાંધીનગરના મુસાફરોને જાહેર પરિવહન કનેક્ટિવિટીમાં મોટો વધારો મળવાની તૈયારી છે, સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાના લોકાર્પણ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ વડાપ્રધાન પ્રારંભ કરાવે તેવી શક્યતા છે. વડાપ્રધાન અમદાવાદ જુની હાઇકોર્ટથી મેટ્રો બેસીને મહાત્મા મંદિર આવશે. જ્યાંથી તેઓ અહીં યોજાનાર જર્મન ડેલિગેશનના કાર્યક્રમ માં હાજરી આપશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાના પ્રારંભ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શૈક્ષણિક અને વહીવટી હબ માટે આશીર્વાદરૂપ સેવા આ મેટ્રો લિંક શરૂ થવાથી શહેરના 20 જેટલા સેક્ટરો અને આસપાસના 3 ગામોના લોકોને સીધો ફાયદો થશે.

ખાસ કરીને જૂના સચિવાલય અને સેક્ટર-16માં આવેલી અંદાજે 60 જેટલી સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હવે મુસાફરી અત્યંત સરળ અને આરામદાયક બની જશે. આ ઉપરાંત આ રૂટ પર આવતી કોમર્સ, પોલીટેકનિક અને એન્જિનિયરીંગ કોલેજ જેવી 8 શૈક્ષણિક સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓને અવરજવરમાં મોટી રાહત મળશે.

એવું જાણવા મળે છે કે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 2 હેઠળ બહુપ્રતિક્ષિત અંતિમ સ્ટ્રેચના લોકાર્પણ માટેની તૈયારીઓ પૂર્ણ ગતિએ ચાલી રહી છે. કાર્યક્રમના ભાગરૂપે, વડાપ્રધાન અમદાવાદના જૂના હાઈકોર્ટ સ્ટેશનથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી મેટ્રો દ્વારા મુસાફરી કરે તેવી અપેક્ષા છે. મહાત્મા મંદિર પહોંચ્યા બાદ તેઓ જર્મન પ્રતિનિધિમંડળને સંડોવતા નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપશે.

વિસ્તૃત કોરિડોર હેઠળ, મેટ્રો સેવાઓ પાંચ નવા સ્ટેશનો પર શરૂ થશે, જેમ કે અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ 2 રૂટ પરનું અંતિમ સ્ટેશન. આ 5.36-કિલોમીટર-લાંબા રૂટના વિસ્તરણથી અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મુખ્ય પ્રવાસન સ્થળો સુધી મેટ્રોની પહોંચ પણ વધશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...