Tuesday, January 13, 2026

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો : આ તારીખે PM મોદી સચિવાલય-મહાત્મા મંદિર રૂટને ફ્લેગ ઓફ કરે તેવી શક્યતા !

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અને રાજ્યની રાજધાની ગાંધીનગરના મુસાફરોને જાહેર પરિવહન કનેક્ટિવિટીમાં મોટો વધારો મળવાની તૈયારી છે, સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાના લોકાર્પણ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ વડાપ્રધાન પ્રારંભ કરાવે તેવી શક્યતા છે. વડાપ્રધાન અમદાવાદ જુની હાઇકોર્ટથી મેટ્રો બેસીને મહાત્મા મંદિર આવશે. જ્યાંથી તેઓ અહીં યોજાનાર જર્મન ડેલિગેશનના કાર્યક્રમ માં હાજરી આપશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાના પ્રારંભ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શૈક્ષણિક અને વહીવટી હબ માટે આશીર્વાદરૂપ સેવા આ મેટ્રો લિંક શરૂ થવાથી શહેરના 20 જેટલા સેક્ટરો અને આસપાસના 3 ગામોના લોકોને સીધો ફાયદો થશે.

ખાસ કરીને જૂના સચિવાલય અને સેક્ટર-16માં આવેલી અંદાજે 60 જેટલી સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હવે મુસાફરી અત્યંત સરળ અને આરામદાયક બની જશે. આ ઉપરાંત આ રૂટ પર આવતી કોમર્સ, પોલીટેકનિક અને એન્જિનિયરીંગ કોલેજ જેવી 8 શૈક્ષણિક સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓને અવરજવરમાં મોટી રાહત મળશે.

એવું જાણવા મળે છે કે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 2 હેઠળ બહુપ્રતિક્ષિત અંતિમ સ્ટ્રેચના લોકાર્પણ માટેની તૈયારીઓ પૂર્ણ ગતિએ ચાલી રહી છે. કાર્યક્રમના ભાગરૂપે, વડાપ્રધાન અમદાવાદના જૂના હાઈકોર્ટ સ્ટેશનથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી મેટ્રો દ્વારા મુસાફરી કરે તેવી અપેક્ષા છે. મહાત્મા મંદિર પહોંચ્યા બાદ તેઓ જર્મન પ્રતિનિધિમંડળને સંડોવતા નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપશે.

વિસ્તૃત કોરિડોર હેઠળ, મેટ્રો સેવાઓ પાંચ નવા સ્ટેશનો પર શરૂ થશે, જેમ કે અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ 2 રૂટ પરનું અંતિમ સ્ટેશન. આ 5.36-કિલોમીટર-લાંબા રૂટના વિસ્તરણથી અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મુખ્ય પ્રવાસન સ્થળો સુધી મેટ્રોની પહોંચ પણ વધશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...