Saturday, January 31, 2026

અમદાવાદની આ ખાનગી હોસ્પિટલના ICUમાં મહિલા દર્દીની છેડતી, શરમજનક કરતૂત કરનાર કર્મચારી સામે ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટીસ હોસ્પિટલના વહેલી સવારે ICUમાં સારવાર લઈ રહેલી એક મહિલા દર્દીની હોસ્પિટલના સ્ટાફ દ્વારા છેડતી કરાતા ચકચાર મચી છે. પારિવારિક કારણોસર યુવતીએ દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. વહેલી પરોઢે જ્યારે યુવતી ગાઢ નિદ્રા અને દવાની અસરમાં હતી, ત્યારે હોસ્પિટલના કર્મચારીએ તેની લાચારીનો લાભ ઉઠાવી શારીરિક અડપલાં કરાયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી વિસ્તારમાં રહેતી યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તે છેલ્લા ઘણા સમયથી માતા પિતા સાથે પિયરમાં રહે છે અને તેના લગ્ન અનિલ (નામ બદલાવ્યું છેઃ નામના યુવક સાથે થયા હતા.અનિલ સાથે મનમેળ નહી આવતા તે પોતાના માતા પિતા પાસે રહે છે છેલ્લા ઘણા સમયથી અનિલ સાથેની બબાલને લઈને યુવતીને લાગી આવ્યુ હતું અને તેણે ઉંઘની દવા લઈને આપધાત કરવાની કોશિષ કરી હતી. યુવતીની તબીયત ખરાબ થતા તેને સાબરમતી મેટીસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.યુવતીની હાલત વધુ ખરાબ હોવાથી તેને આઈસીયુ વોર્ડમાં દાખલ કરાઈ હતી. યુવતી આઈસીયુમાં અર્ધબેભાન હાલતમાં હતી સૂઈ રહી હતી ત્યારે કોઈ વ્યકિતએ તેના શરીર પર હાથ ફેરવીને છેડતી કરી હતી.યુવતીએ જોરથી બુમ પાડતા છેડતી કરનાર શખ્સ ત્યાથી નાસી ગયો હતો.

યુવતીએ તુરંત જ પોતાના પિતાને આ અંગે જાણ કરી હતી. જ્યારે પીડિતાના પિતાએ હોસ્પિટલ સત્તાધીશો પાસે સીસીટીવી ફૂટેજ જોવાની માંગણી કરી, ત્યારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા સહકાર આપવાને બદલે ફૂટેજ બતાવવાનો સાફ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. જો કે, બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે છેડતી કરનાર શખસનું નામ ઈન્દ્રજીત રાઠોડ છે, જે અસારવા વિસ્તારનો રહેવાસી છે અને હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે.

યુવતીની તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ, પીડિતાએ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી આરોપી ઈન્દ્રજીત રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...