Tuesday, February 3, 2026

AMA દ્વારા ‘આવો ગામ ચલે’ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, 250 થી વધુ ગ્રામજનોએ લીધો લાભ

spot_img
Share

અમદાવાદ: મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામ, અસલાલી ખાતે ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીનની અધ્યક્ષતામાં આજે એક નિઃશુલ્ક મેડિકલ ચેક-અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનું આયોજન “આવો ગાવ ચલે” (Aavo Gaam Chale) અભિયાન અંતર્ગત અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) તથા જુનિયર ડોક્ટર્સ એસોસિએશન (JDA) ના સહયોગથી કરવામાં આવ્યું હતું.

આ મેડિકલ કેમ્પમાં જનરલ ફિઝિશિયન, ENT (કાન-નાક-ગળા), ઓર્થોપેડિક, પીડિયાટ્રિશિયન (બાળરોગ), ગાયનેકોલોજિસ્ટ, ઓપ્થેલ્મોલોજિસ્ટ (આંખ), ડર્મેટોલોજિસ્ટ (ચામડી), ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ અને જનરલ સર્જન સહિતના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. લાભાર્થીઓનું નિઃશુલ્ક નિદાન કરવાની સાથે, જરૂરિયાત મુજબ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ મેડિકલ કેમ્પનો 250 થી વધુ ગ્રામજનોએ સીધો લાભ લીધો હતો. આવા આયોજનોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

આ પ્રસંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે “અમદાવાદ મેડિકલ એસોસિએશન માટે સમાજ સેવા એ માત્ર જવાબદારી નહીં પરંતુ એક પવિત્ર ફરજ છે. ‘આવો ગામ ચાલે’ જેવા અભિયાનો દ્વારા જ્યારે ડોક્ટરો ગામડાઓ સુધી પહોંચે છે, ત્યારે ડોક્ટર અને દર્દી વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને છે. આજે 250 થી વધુ ગ્રામજનોને આ સેવાનો લાભ મળ્યો તે AMA માટે ગૌરવની વાત છે. ભવિષ્યમાં પણ અમે આવા લોકહિતના કાર્યો કરતા રહીશું.”

આ ઉપરાંત અમદાવાદ મેડિકલ એસોસિએશનના માનદ મંત્રી ડો. મૌલિક શેઠે જણાવ્યું હતું કે “રોગ થયા પછી સારવાર કરવા કરતા, રોગ થતા પહેલા તકેદારી રાખવી અને સમયસર મેડિકલ ચેક-અપ કરાવવું વધુ હિતાવહ છે. ગ્રામીણ અને છેવાડાના વિસ્તારો સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન હંમેશા કટિબદ્ધ છે.”

આ પ્રસંગે મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ અને મેડિકલ એસોસિએશનના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે: ટ્રસ્ટ પદાધિકારીઓ: ડો. વરૂણ અમીન (ઉપપ્રમુખ), શ્રી પ્રવિણચંદ્ર અમીન (સેક્રેટરી) અને ટ્રસ્ટીશ્રીઓ – શ્રી ઘનશ્યામભાઈ અમીન, શ્રીમતી નીતાબેન અમીન, શ્રીમતી વિજુલબેન અમીન, શ્રીમતી મૃદુલાબેન અમીન, શ્રી ભગવત અમીન અને ડો. વિશ્વાસ અમીન.

આ ઉપરાંત મેડિકલ એસોસિએશન અગ્રણીઓ: ડો. તુષાર પટેલ, ડો. જીગ્નેશભાઈ શાહ, ડો. મૌલિક શેઠ અને ડો. મનજીત નાયક સહિત અસલાલી ગામના આગેવાનોમાં સરપંચ શ્રી નરેન્દ્રભાઈ પટેલ, શ્રી અજીતભાઈ પટેલ અને શ્રી પ્રફુલભાઈ અમીન ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...