Tuesday, February 3, 2026

‘કેન્સર એટલે જીવનનો અંત નહીં’: અમદાવાદમાં વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે ‘ધ ગોલ્ડન વોઇસ’ કાર્યક્રમમાં કેન્સર વોરિયર્સે જગાવી નવી આશા

spot_img
Share

અમદાવાદ: વર્લ્ડ કેન્સર ડેના ઉપલક્ષમાં તાજેતરમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ કેન્સર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક અનોખા અને ભાવનાત્મક કાર્યક્રમ “ધ ગોલ્ડન વોઇસ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતા “કેન્સર એટલે જીવનનો અંત” ને તોડવાનો અને કેન્સર બાદ પણ જીવન સકારાત્મક બની શકે છે તેવો સંદેશ આપવાનો હતો.

કેન્સર વોરિયર્સ બન્યા મંચના સિતારા કાર્યક્રમની સૌથી ખાસ વાત એ હતી કે અહીં કેન્સર વોરિયર્સ (કેન્સર વિજેતાઓ) પોતે જ કલાકારની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેમણે મંચ પર આવીને ભાવસભર ગીતો રજૂ કર્યા હતા અને પોતાના પ્રેરણાદાયી અનુભવો વર્ણવ્યા હતા. એક વોરિયરે શંખનાદ કરી વાતાવરણમાં આધ્યાત્મિક ઊર્જા ફેલાવી હતી, જે કેન્સર પરની જીતનું પ્રતિક બની રહ્યું હતું.

આ ઉપરાંત, અગ્રણી એચ બી કાપડીયા સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગણેશ વંદના અને પ્રાઇમરી સ્કૂલના બાળકોએ “હોપ ડાન્સ” રજૂ કરીને આશા અને હિંમતનો સંદેશ પાઠવ્યો હતો.

સમાજનો અભિગમ બદલવાનો પ્રયાસ આ પ્રસંગે અમદાવાદ કેન્સર ફાઉન્ડેશનના ડૉ. કૌસ્તુભ પટેલે જણાવ્યું હતું કે, “કેન્સર વિજેતાઓ માત્ર દર્દી નથી પરંતુ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે. અમારું લક્ષ્ય કેન્સર બાદ દર્દીનું જીવન સન્માનસભર અને ગુણવત્તાપૂર્ણ બને તે સુનિશ્ચિત કરવાનું છે.”

જ્યારે AMA ના પ્રમુખ ડૉ. જિગ્નેશ શાહે કહ્યું હતું કે, “જ્યારે કેન્સર વિજેતાઓ પોતે મંચ પર ઉભા રહી પ્રતિભા રજૂ કરે છે, ત્યારે તે સંદેશ કોઈ પણ ભાષણ કરતા વધુ અસરકારક સાબિત થાય છે.”

અરવિંદ વેગડાની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમમાં ગુજરાતના લોકપ્રિય ગાયક અરવિંદ વેગડાએ વિશેષ હાજરી આપી હતી. તેમણે કેન્સર વોરિયર્સની હિંમતને બિરદાવી હતી અને પોતાના સુપરહિટ ગીત “ભાઈ ભાઈ” ની રમઝટ બોલાવી હતી, જેના પર ઉપસ્થિત સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા.

આ કાર્યક્રમમાં ડોક્ટર્સ, દર્દીઓ, તેમના પરિવારજનો અને વિદ્યાર્થીઓ મળીને અંદાજે 250 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ ભવિષ્યમાં પણ આવી જનજાગૃતિ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...