Tuesday, February 3, 2026

AMCની ઘોર બેદરકારીને કારણે ખુલ્લા ખાડામાં પડતા બે ગાયોના મોત, ગૌ પ્રેમીઓમાં ભારે રોષ

spot_img
Share

અમદાવાદ : સ્માર્ટ સિટી અમદાવાદમાં તંત્રની ગંભીર બેદરકારીથી બે ગાયોના કરુણ મોત નીપજ્યા હોવાની ગંભીર ઘટના સામે છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ બેદરકારી સામે આવી છે. ખોદેલા ખાડામાં કોઈપણ પ્રકારનું બેરી કેડિંગ કરવામાં આવ્યું નહોતું જેના કારણે થઈ અને બે ગાયો પડી ગઈ અને મૃત્યુ પામી છે. જ્યારે અન્ય ત્રણ ગાયોને મહામુસીબતે બચાવી લેવામાં આવી છે, ત્યારે આ ઘટનાથી ગૌપ્રેમીઓ અને શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ લાંભા વોર્ડના સૈજપુર ગોપાલપુર ગ્રામ્ય વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના ચેમ્બર બનાવવા માટે તંત્ર દ્વારા મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. નિયમ મુજબ કોઈપણ બાંધકામ કે ખોદકામ સમયે સુરક્ષા માટે આસપાસ બેરિકેટિંગ કરવું અનિવાર્ય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટર અને ઇજનેરોએ કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન કે બેરિકેટિંગ કર્યું નહોતું. જેથી સુરક્ષાના અભાવે ગાયોનું ટોળું અંધારામાં અથવા અજાણતા આ ઊંડા ખાડામાં ખાબક્યું હતું.જેના કારણે બે ગાયો પડી ગઈ અને મૃત્યુ પામી છે. જ્યારે અન્ય ત્રણ ગાયોને મહામુસીબતે બચાવી લેવામાં આવી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વહેલી સવારે બનેલી આ ઘટનામાં કુલ પાંચ ગાયો આ ખાડામાં પડી હતી. જેથી અચાનક ધડામ જેવો અવાજ સંભળાતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જે બાદ સ્થાનિકોએ ભારે જહેમતથી ત્રણ ગાયોને જીવતી બહાર કાઢી લેવામાં આવી હતી, જે હાલ અત્યંત ગંભીર હાલતમાં છે. પરંતુ દુર્ભાગ્યવશ બે ગાયોના ખાડામાં જ મોત નીપજ્યા હતા.

બાદમાં ઘટનાની જાણ થતા જ AMCના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને JCBની મદદથી ગાયોના મૃદદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની સાથે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઊઠી રહી છે.

આ દુર્ઘટનાને પગલે તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જે સ્થળે આ ખાડો ખોદવામાં આવ્યો હતો તે રહેણાંક વિસ્તાર છે અને ત્યાં મોટી સંખ્યામાં પશુઓની અવરજવર રહે છે. તેમ છતાં સુરક્ષા માટે કોઈ પણ પ્રકારના બેરિકેડિંગ કરવામાં આવ્યા નહોતા.ગૌપ્રેમીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જો તંત્રએ સમયસર તકેદારી રાખી હોત તો નિર્દોષ અબોલ પશુઓના જીવ બચાવી શકાયા હોત.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...