Saturday, February 7, 2026

એસજી હાઈ વે અને કોબા-ગાંધીનગરને જોડતો નવો 80 મીટરનો લિંક રોડ બનશે

spot_img
Share

અમદાવાદ : રાજયની રાજધાની ગાંધીનગરના દક્ષિણ દિશા તરફના શહેરી વિકાસને વધુ વેગ આપવા માટે, મ્યુનિસિપલ કમિશનરે ભાઈજીપુરાથી અડાલજને જોડતો 80-મીટર રોડ વિકસાવવાની જાહેરાત કરી છે. આ નવો માળખાગત પ્રોજેક્ટ શહેરના બે મુખ્ય મુખ્ય માર્ગો એસજી હાઇવે અને કોબા થઈને પરંપરાગત અમદાવાદ-ગાંધીનગર માર્ગ વચ્ચે મહત્વપૂર્ણ કનેક્ટિવિટી સાબિત થશે, તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ​​બજેટ પછીની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દક્ષિણ દિશા તરફના શહેરી વિકાસને વધુ વેગ આપવા માટે, પ્રસ્તાવિત 8 કિલોમીટર લાંબો રસ્તો અડાલજ ખાતેના એસજી હાઇવેથી ભાઈજીપુરા ક્રોસિંગ સુધી સીધો કોરિડોર બની રહેશે. ખાસ કરીને ગિફ્ટ સિટી અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી સુધી કનેક્ટિવિટી વધશે.હાલમાં, એસજી હાઇવેથી ગિફ્ટ સિટી તરફ જતા મુસાફરો ઘણીવાર કુડાસણ અને આગળ શાહપુર પુલ તરફના રૂટ પર આધાર રાખે છે.

આ નવો પ્રસ્તાવિત 80-મીટર પહોળો રસ્તો – લગભગ છ થી આઠ લેનનો રહશે, જે એસજી હાઇવે અને ગિફ્ટ સિટિ વચ્ચેનું અંતર અસરકારક રીતે ઘટાડશે.મ્યુનિસિપલ કમિશનર ​​બજેટ પછીની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થઈ ચૂક્યું છે. વહીવટી સ્તરે તમામ પ્રારંભિક તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં કામ શરૂ થવાની અપેક્ષા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...