Friday, February 20, 2026

નવા વાડજની આ શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓનો શુભકામના સમારોહ અને ગાયત્રી હવન યોજાયો,જુઓ Video

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલી લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આજે આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાંગણમાં આયોજિત આ સમારોહમાં વિદ્યાર્થીઓને બોર્ડની હોલ ટિકિટનું વિતરણ કરવાની સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને એકાગ્રતા જળવાય તે હેતુથી ગાયત્રી પરિવારની બહેનો દ્વારા પવિત્ર ગાયત્રી હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર અને હવનની આહુતિઓ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ભાવપૂર્વક જોડાઈને પરીક્ષામાં સફળતા માટે પ્રાર્થના કરી હતી. ગાયત્રી પરિવારની બહેનોએ તમામ વિદ્યાર્થીઓને તિલક કરી આશીર્વાદ આપ્યા હતા.

માત્ર આશીર્વાદ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને પરીક્ષાના ટેન્શનથી મુક્ત રાખવા માટે ખાસ માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા દરમિયાન:

સમયનું વ્યવસ્થાપન (Time Management) કેવી રીતે કરવું.
પ્રશ્નપત્ર લખતી વખતે કયા ટેકનિકલ મુદ્દાઓનું ધ્યાન રાખવું.
હોલ ટિકિટ અને નિયમોનું ચુસ્ત પાલન કરવું.
શાંત ચિત્તે આત્મવિશ્વાસ સાથે પેપર લખવા જેવી બાબતો પર ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાઓના સમસ્ત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, મહેનત અને ધૈર્ય જ સફળતાની ચાવી છે. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી મંગલમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...