Monday, March 9, 2026

અમદાવાદ બનશે પ્રથમ AI સજ્જ શહેર : નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદનું નિરાકરણ, નિકાલ કર્યા વિના તેને ક્લોઝ નહીં કરી શકાય

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા પૂરી પાડવામાં આવતી પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, વગેરે જેવી માળખાકીય સુવિધાઓ અંગે નાગરિકોની ફરિયાદો નિવારવા માટે શરૂ કરવામાં આવેલ સર્વગ્રાહી ફરિયાદ નિવારણ પ્રણાલી એટલે કે કોમ્પ્રેહેન્સિવ કમ્પ્લેઈન રિડ્રેસલ સિસ્ટમને (CCRS 2.0) હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અદ્યતન બનાવાશે. જેના પરિણામે નાગરિકોની ફરિયાદોનો નિકાલ કર્યા વિના ફરિયાદોને ‘ક્લોઝ’ કરી દઈ શકાશે નહીં ડેશબોર્ડ વારંવાર આવતી કે લાંબા સમયથી પડતર ફરિયાદો માટે વીકલી રિપોર્ટ્સ અને ઓટોમેટિક એલર્ટ જનરેટ કરશે.AI આધારિત આ સ્માર્ટ પ્લેટફોર્મ તેમની સેવા માટે 24 કલાક કાર્યરત રહેશે.

CCRS 2.0 ની સૌથી મોટી વિશેષતા તેની AI ક્ષમતા છે. જ્યારે કોઈ નાગરિક હેલ્પલાઈન નંબર 155303 પર કોલ કરશે, ત્યારે હ્યુમન ઓપરેટરને બદલે AI વોઈસ એજન્ટ કોલ રિસીવ કરશે અને કુદરતી ભાષામાં સંવાદ કરીને ફરિયાદની વિગતો નોંધશે. આ સિસ્ટમ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા સમજી શકે છે. એટલું જ નહીં, વોટ્સએપ ચેટબોટ, ટ્વિટર, એસએમએસ અને મોબાઈલ એપ જેવા વિવિધ માધ્યમોને એક જ પ્લેટફોર્મ પર સાંકળવામાં આવ્યા છે. આનાથી ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અત્યંત સરળ બની જશે અને ડુપ્લિકેટ ફરિયાદોને ઓળખીને સિસ્ટમ તેની જાતે જ ફિલ્ટર પણ કરી શકશે.

નવી સિસ્ટમમાં માત્ર ફરિયાદ નોંધવી જ નહીં, પણ તેના ઉકેલની ખાતરી કરવાની પણ જોગવાઈ છે. હવે ડ્રેનેજ, પાણી કે સ્ટ્રીટ લાઈટ જેવી સમસ્યાઓ માટે અધિકારીઓએ કામ પૂર્ણ થયા પછીનો ફોટો અપલોડ કરવો પડશે, જેનું AI દ્વારા ક્રોસ-વેરિફિકેશન કરવામાં આવશે. આનાથી “કામ થયા વગર જ ફરિયાદ બંધ થઈ ગઈ” જેવી ફરિયાદોનો કાયમી ઉકેલ આવશે. આ ઉપરાંત, તમામ ફરિયાદોને GIS (જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ) નકશા પર પ્લોટ કરવામાં આવશે, જેનાથી કયા વિસ્તારમાં કયા પ્રકારની સમસ્યાઓ વધુ છે તેનું હીટ-મેપ દ્વારા વિશ્લેષણ કરી શકાશે.

CCRS 2.0 માત્ર સમસ્યા આવ્યા પછી કામ નથી કરતી, પરંતુ તે સમસ્યા આવતા પહેલા તેનું પૂર્વાનુમાન પણ કરી શકે છે. AI અને મશીન લર્નિંગ ટેકનોલોજી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોના ડેટાનું વિશ્લેષણ કરીને સિસ્ટમ પખવાડિયા મુજબનું અનુમાન તૈયાર કરશે. દાખલા તરીકે, ચોમાસા પહેલા કયા વિસ્તારમાં ગટર ઉભરાવાની શક્યતા વધુ છે તેની આગાહી GIS નકશા પર દર્શાવવામાં આવશે. આનાથી કોર્પોરેશનના અધિકારીઓ પ્રો-એક્ટિવ બનીને સમસ્યા સર્જાય તે પહેલા જ તેનું નિવારણ લાવી શકશે, જે અંતે શહેરની સ્વચ્છતા અને સુવ્યવસ્થામાં વધારો કરશે.

આ પ્રોજેક્ટથી અમદાવાદના નાગરિકોને અનેક ફાયદા થશે. 24*7 કાર્યરત AI ચેટબોટ ગમે ત્યારે મદદ માટે તૈયાર રહેશે, જ્યારે ઓટોમેટેડ એસ્કેલેશન સિસ્ટમ એ સુનિશ્ચિત કરશે કે જો કોઈ અધિકારી સમયસર કામ ન કરે તો ફરિયાદ આપમેળે ઉચ્ચ અધિકારી સુધી પહોંચી જાય. સિસ્ટમમાં નાગરિકોના ફીડબેકનું સેન્ટીમેન્ટ એનાલિસિસ પણ કરવામાં આવશે, જેથી પ્રશાસનને ખબર પડે કે જનતા સેવાઓથી કેટલી સંતુષ્ટ છે. પાંચ વર્ષ સુધીના મેન્ટેનન્સ અને ટેકનિકલ સપોર્ટ સાથેનો આ પ્રોજેક્ટ અમદાવાદને વૈશ્વિક સ્તરનું સ્માર્ટ શહેર બનાવવા તરફનું એક મહત્વનું પગલું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...