Friday, March 13, 2026

અમદાવાદની આ જાણીતી સહકારી બેંકમાંથી આજથી નહીં ઉપાડી શકાય રોકડ, RBIએ લગાવ્યો પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સહકારી બેંકોની આર્થિક સ્થિતિ કથળી રહી હોય તેવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આકરૂં વલણ અપનાવતા અમદાવાદની ‘ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંક’ પર મોટા આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે. 11 માર્ચ, 2026 ના રોજ કામકાજ પૂર્ણ થયા બાદથી આ આદેશ લાગુ થઈ ગયો છે, જેના પગલે બેંકના હજારો સભ્યો અને થાપણદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

RBI દ્વારા જારી કરાયેલા કડક આદેશ મુજબ, બેંકની નબળી આર્થિક સ્થિતિ (લિક્વિડિટીની અછત) ને ધ્યાનમાં રાખીને ગ્રાહકોના નાણાં ઉપાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે, બચત ખાતા (સેવિંગ્સ એકાઉન્ટ) કે ચાલુ ખાતા (કરન્ટ એકાઉન્ટ) માંથી ગ્રાહકો હાલ પોતાના જ રૂપિયા ઉપાડી શકશે નહીં.RBI એ અમદાવાદની ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઓપરેટિવ બેંકની નબળી નાણાકીય સ્થિતિ અને લિક્વિડિટી ચિંતાઓને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો લગાવ્યા છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની જોગવાઈઓ હેઠળ આ નિર્દેશો 11 માર્ચ 2026ના રોજ કામકાજ બંધ થયા બાદથી અમલમાં આવ્યા હતા.

RBI ના આદેશ મુજબ, બેંક હવે રિઝર્વ બેંકની આગોતરી લેખિત મંજૂરી વિના નવી લોન આપી શકશે નહીં અથવા જૂની લોન રિન્યુ કરી શકશે નહીં. આ ઉપરાંત, બેંક નવું રોકાણ, ભંડોળ ઉધાર લેવું, નવી થાપણો સ્વીકારવી અથવા કોઈપણ મિલકતનું વેચાણ કરી શકશે નહીં. બેંકને હાલ પૂરતા સેવિંગ્સ, કરન્ટ અથવા અન્ય કોઈપણ ડિપોઝિટ ખાતામાંથી ઉપાડ કરવાની મંજૂરી ન આપવા સૂચના આપવામાં આવી છે. જોકે, RBI દ્વારા નિર્ધારિત શરતોને આધીન, બેંક થાપણો સામે લોનનું એડજસ્ટમેન્ટ કરી શકે છે.

RBIએ સ્પષ્ટતા કરી છે કે બેંક સ્ટાફનો પગાર, ભાડું અને વીજળીના બિલ જેવા આવશ્યક ખર્ચાઓ કરવાનું ચાલુ રાખી શકે છે. RBI એ જણાવ્યું કે, બેંકના બોર્ડ અને મેનેજમેન્ટ સાથે વારંવારની ચર્ચાઓ છતાં તેની કામગીરી અને નાણાકીય શિસ્તમાં પૂરતો સુધારો ન આવતા આ પગલું લેવામાં આવ્યું છે. થાપણદારોના હિતોનું રક્ષણ કરવા માટે આ નિર્ણય લેવો જરૂરી હતો. થાપણદારો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી ₹5 લાખ સુધીનો વીમો મેળવવા માટે પાત્ર છે, જે જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને સંમતિ ફોર્મ સબમિટ કર્યા પછી મળશે.

આ ઉપરાંત RBI એ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધોનો અર્થ બેંકનું લાઇસન્સ રદ કરવું તેવો નથી. બેંક લાદવામાં આવેલી શરતો હેઠળ કાર્ય કરવાનું ચાલુ રાખશે અને RBI બેંકની નાણાકીય કામગીરીના આધારે સ્થિતિની સમીક્ષા કરશે. આ પ્રતિબંધો 11 માર્ચ, 2026 થી આગામી છ મહિના સુધી અમલમાં રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...