અમદાવાદ: ઇંધનની પરિસ્થિતિને લઈ અમદાવાદ કલેક્ટરે એડવઝાઈરી જાહેર કરી છે. સમય પહેલા LPG સિલિન્ડર બુક ન કરવા અપીલ કરી છે. આ સાથે જ સર્વર લોડ ઘટાડવા એડવાઈઝરી જાહેર કરી છે. રાંધણ ગેસની બચત માટે સોલાર કુકરનો ઉપયોગ કરવા સલાહ અપાઇ છે. પેટ્રોલ-ડીઝલ બચાવવા પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવાની અપીલ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ કલેક્ટરના એકાઉન્ટ પરથી કરવામાં આવેલી X પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલ.પી.જી નો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકીંગ વચ્ચે શહેરી વિસ્તારમાં 25 દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં 45 દિવસનુ અંતર રાખવા બાબતની સૂચના આપવામાં આવેલ છે. જેથી ગ્રાહકો દ્વારા સૂચવેલ સમયમર્યાદા પહેલાં બિનજરૂરી ઓનલાઈન બુકીંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે જેથી સર્વર પરનો લોડ ઘટાડી શકાય.રાંધણ ગેસનો બચાવ કરવા બને ત્યાં સુધી કુકરનો ઉપયોગ કરવો, કઠોળને પલાળીને બાફવા જેવી કાર્યક્ષમ રાંધણ પધ્ધતિ અપનાવવી. તેમજ વૈકલ્પિક ઉર્જાસ્ત્રોત તરીકે સોલર કુકર વિગેરેનો ઉપયોગ વધારી શકાય.
ઘરમાં ઉર્જાની બચત માટે ACનું ટેમ્પરેચર ૨૫ સેલ્સીયસ કે તેથી વધુ રાખવામાં આવે તે ઇચ્છનીય છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પેટ્રોલ તથા ડીઝલની મહત્તમ બચત થાય તે માટે બને ત્યા સુધી પબ્લીક ટ્રાન્સ્પોર્ટનો, ભાગીદારીમાં મુસાફરીનો ઉપયોગ કરવો ઈચ્છનીય છે. ઘરેલૂ LPG સબંધિત મદદ માટે ટેલિફોન નંબર -079-0232-52680 પર સંપર્ક કરી શકાશે.


