Tuesday, March 17, 2026

અમદાવાદ-નાથદ્વારા વચ્ચે શરૂ થઈ હાઈટેક AC પ્રીમિયમ બસ, જાણી લો સમય અને ભાડું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદથી રાજસ્થાનના પ્રખ્યાત તીર્થધામ નાથદ્વારા જતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST) દ્વારા એક શાનદાર ભેટ આપવામાં આવી છે. હવે મુસાફરો વોલ્વો જેવી લક્ઝરી સુવિધાઓનો આનંદ અત્યંત સસ્તા દરે માણી શકશે. એસટી નિગમે અમદાવાદ-નાથદ્વારા રૂટ પર નવી AC પ્રીમિયમ બસ સેવાનો પ્રારંભ કર્યો છે, જે ખાનગી ટ્રાવેલ્સ અને મોંઘી વોલ્વો બસોને સીધી ટક્કર આપશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવી એસી પ્રીમિયમ બસ અમદાવાદથી રોજ સવારે 5 વાગ્યે ઉપડશે અને બપોરે 12.30એ નાથદ્વારા પહોંચાડશે. અમદાવાદથી નાથદ્વારાના રૂટ પર આ બસ હિંમતનગર, શામળાજી, ખેરવાડા, બીચ્છીવાડા, કેશરીયાજી અને ઉદેપુર પર સ્ટોપ કરશે. નાથદ્વારાથી આ બસ બપોરે 2.30 કલાકે અમદાવાદ જવા માટે પરત ફરશે.

આ નવી એસી પ્રીમિયમ બસનું સૌથી મોટું આકર્ષણ તેનું પરવડે તેવું ભાડું છે. અમદાવાદથી નાથદ્વારા સુધીની મુસાફરી માટે મુસાફરોએ માત્ર રૂપિયા 541 ચૂકવવા પડશે. સામાન્ય રીતે વોલ્વો બસોના ભાડા ઊંચા હોય છે, પરંતુ આ પ્રીમિયમ બસમાં વોલ્વો કરતા આશરે 242 રૂપિયા સસ્તું ભાડું રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, જો કોઈ મુસાફર અમદાવાદથી ઉદયપુર જવા માંગતા હોય, તો તેમના માટે માત્ર 459 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

આ બસમાં મુસાફરોની સુવિધા માટે 2×2 આધુનિક લક્ઝરી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. 46 સીટની ક્ષમતા ધરાવતી આ બસ સંપૂર્ણપણે વાતાનુકૂલિત (AC) છે. મુસાફરીના સમયની વાત કરીએ તો અમદાવાદથી ઉપડવાનો સમય દરરોજ સવારે 5:00 વાગ્યે અને નાથદ્વારા પહોંચવાનો સમય બપોરે 12:30 વાગ્યે છે. જ્યારે નાથદ્રારાથી પરત આવવાનો સમય બપોરે 2:30 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

આ પ્રીમિયમ બસ મુસાફરી દરમિયાન હિંમતનગર, શામળાજી અને ઉદયપુર સહિત કુલ 7 મુખ્ય સ્ટોપેજ પર ઉભી રહેશે, જેથી આસપાસના વિસ્તારના મુસાફરોને પણ આ સેવાનો લાભ મળી શકે. જે મુસાફરો એડવાન્સમાં પોતાની સીટ બુક કરાવવા માંગતા હોય, તેમના માટે એસટી નિગમની વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.

ઉનાળાની ગરમીમાં શ્રીનાથજીના દર્શને જનારા યાત્રાળુઓ માટે આ આરામદાયક અને ઝડપી મુસાફરીનો શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...