Friday, April 3, 2026

અમદાવાદમાં IPLને લઈ મેચના દિવસે રાત્રિના 12:30 વાગ્યા સુધી મળશે મેટ્રો ટ્રેન, જાણો સ્પેશિયલ ટ્રેન શિડ્યૂલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી IPL 2026 ની મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચ જોઈને મોડી રાત્રે પરત ફરતા પ્રેક્ષકોની સુવિધા માટે મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. અને મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રે 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી IPL 2026ની ડે-નાઈટ મેચને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા. 4, 17, 20, 26 અને 30 એપ્રિલ તેમજ 3 અને 12 માર્ચના રોજ યોજાનારી મેચો દરમિયાન મુસાફરોની સુવિધા માટે મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રે 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સામાન્ય દિવસોમાં અમદાવાદ મેટ્રો રાત્રે 10 વાગ્યા સુધી અને ગાંધીનગર કોરિડોરમાં રાત્રે 7:40 વાગ્યા સુધી ચાલે છે.

મોટેરા સ્ટેડિયમ પર પરત ફરતી વખતે લાંબી લાઈનોથી બચવા માટે મુસાફરો આ સ્પેશિયલ પેપર ટિકિટ દિવસ દરમિયાન જ અગાઉથી ખરીદી શકશે. આ ટિકિટો મોટેરા, સાબરમતી, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ અને મહાત્મા મંદિર સહિતના મુખ્ય મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યા પછી મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ ટ્રેનમાં પ્રવેશ મેળવી શકશે.

રૂટ અને સ્ટેશનની વિગતો

મેચ પૂર્ણ થયા બાદ મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે અલગ-અલગ કોરિડોર પર નીચે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે:
• મોટેરા સ્ટેડિયમ થી APMC: રાત્રે 22:00 થી 00:30 વાગ્યા સુધી ટ્રેન દોડશે.
• ઓલ્ડ હાઈકોર્ટ ઇન્ટરચેન્જ થી વસ્ત્રાલ ગામ: રાત્રે 22:00 થી 00:50 વાગ્યા સુધી સેવા મળશે.
• ઓલ્ડ હાઈકોર્ટ ઇન્ટરચેન્જ થી થલતેજ ગામ: રાત્રે 22:00 થી 00:50 વાગ્યા સુધી સેવા મળશે.
• ગાંધીનગર કોરિડોર (મોટેરા થી મહાત્મા મંદિર): આ રૂટ પર રાત્રે 23:40 અને 00:10 વાગ્યે સ્પેશિયલ ટ્રેન ઉપડશે.

નોંધ: રાત્રે 10:00 વાગ્યા પછી મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી જ ટ્રેનમાં બેસી શકશે. અન્ય સ્ટેશનો પર માત્ર મુસાફરોને ઉતારવામાં આવશે (Exit), ત્યાંથી નવી એન્ટ્રી મળશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...