Wednesday, March 4, 2026

વાડજ સહીત આ મેટ્રો સ્ટેશન પર હજી નથી મૂકાયા સ્ક્રીન ડોર, મુસાફરો માટે સાબિત થઈ શકે છે જોખમી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં તાજેતરમાં જે મેટ્રો ટ્રેનની શરુઆત કરવામાં આવી છે પરંતુ વાડજ શહેરના છ મેટ્રો સ્ટેશન પર હજી સુધી આ સ્ક્રીન ડોર મૂકવામાં નથી આવ્યા. જેને લઈને મુસાફરોની સુરક્ષાના સંદર્ભમાં આ એક મોટું જોખમ છે.

અમદાવાદ મિરરના એક અહેવાલ અનુસાર, અમદાવાદના મેટ્રો સ્ટેશન પર લગાવાયેલ પ્લેટફોર્મ સ્ક્રીન ડોર ચાઈનામાં બનેલા છે. પ્લેટફોર્મ સ્ક્રીન ડોર ટેક્નોલોજી શાંઘાઈની એક કંપની પાસેથી ઈમ્પોર્ટ કરવામાં આવી છે. સપ્લાયમાં કોઈ સમસ્યા થઈ હોવાને કારણે શહેરના છ મેટ્રો સ્ટેશન પર હજી સુધી આ સ્ક્રીન ડોર મૂકવામાં નથી આવ્યા. મુસાફરોની સુરક્ષાના સંદર્ભમાં આ એક મોટું જોખમ છે.

અમદાવાદ શહેરમાં મેટ્રોના 32 સ્ટેશન છે. રેલવે ટ્રેક 750 વોટનો ડાઈરેક્ટ કરંટ(ડીસી) ધરાવે છે. અકસ્માતની સંભાવનાઓ ટાળવા માટે તેમજ ભવિષ્યમાં ડ્રાઈવર વગરની ટ્રેનનું સંચાલન કરવા માટે તમામ સ્ટેશન પર PSD ઈન્સ્ટોલ કરવામાં આવે છે. જ્યારે ટ્રેનના દરવાજા ખૂલે છે ત્યારે PSD પણ ખૂલે છે. ટૂંકમાં, સ્ટેશન પર ટ્રેન રોકાય તો પહેલા દરવાજો ખૂલે અને પછી સ્ક્રીન ડોર ખૂલે. પરંતુ અમદાવાદના ઘણાં પ્લેટફોર્મ પર હજી સુધી આ સ્ક્રીન ડોર મૂકવામાં નથી આવ્યા.

અહેવાલ અનુસાર પાલડી, ગાંધીગ્રામ, ઉસ્માનપુરા, વાડજ, રાણીપ અને વિજયનગર મેટ્રો સ્ટેશન પર આ PSD ઈન્સ્ટોલ કરવામાં નથી આવ્યા. જેના પરિણામે તમામ દરવાજા ખુલ્લા છે. જ્યારે પણ કોઈ મેટ્રો ટ્રેન આવે છે, તમામ લોકો આગળ જતા રહે છે જે જોખમી છે. મુસાફરોને ઓપન સ્ક્રીન ડોરથી દૂર રાખવા માટે સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...