Friday, March 13, 2026

નારણપુરામાં 150 ફૂટ ઊંચા મોબાઈલ નેટવર્ક ટાવરમાં ફસાયેલા પોપટના જીવ બચાવાયો, જીવદયા સંસ્થા અને ફાયરવિભાગની ઉમદા કામગીરી

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી સોલા હાઉસિંગ સોસાયટી ખાતે, જ્યાં એક 150 ફૂટ ઊંચા મોબાઈલ નેટવર્ક ટાવરમાં ફસાયેલા એક પોપટનો જીવ બચાવવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ફાયર વિભાગની ટીમે 150 ફૂટ ઊંચા મોબાઈલ નેટવર્ક ટાવરમાં ફસાયેલા પોપટના જીવ બચાવીને વધુ એક ઉમદા કાર્ય કર્યું છે. એક રિપોર્ટ મુજબ જીવદયા સંસ્થા સેવ બર્ડ ફાઉન્ડેશનના કાર્યકર્તા પપ્પુભાઈ મુજબ અમારી હેલ્પ લાઇન નંબર પર ફોન આવ્યો અને જણાવ્યું હતું કે નારણપુરાના સોલા હાઉસિંગ કોલોનીમાં આવેલા મોબાઈલ નેટવર્ક ટાવરમાં એક પક્ષી ફસાયું છે. તેને બચાવવું જરૂરી છે.

ત્યારબાદ સેવ બર્ડ ફાઉન્ડેશનના કાર્યકર્તા પપ્પુભાઈએ કોલરને સ્થાનિક મેમનગર ફાયર વિભાગને જાણ કરી ટીમ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા. પરંતુ મેમનગર ફાયર વિભાગની ટીમ ઊંચાઈ હોવાને કારણે ફાયર વિભાગની ટીમ તે સમયે પક્ષીને બચાવી ન શકી હતી.પરંતુ તાજેતરમાં જ થલતેજ ફાયર વિભાગ ટીમ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલ હાઇડ્રોલિક મશીન સાથે ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી.

હાઇડ્રોલિક મશીન દ્વારા 150 ફૂટ ઊંચા મોબાઈલ નેટવર્ક ટાવર પર ફસાયેલા એક પોપટ જે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો, તેને બચાવવા માટે એક કલાક સુધી જહેમત ઉઠાવી હતી. એક-બે નહીં પણ સાત જેટલા ફાયર જવાનો અને સેવ બર્ડ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ આ ઉમદા કામ કર્યું હતું. આખરે પોપટને બચાવી જીવદયા પાંજરાપોળ ખાતે મોકલી દેવાયો હતો અને સારવાર આપવામાં આવી હતી.મિર્ચી ન્યુઝ પરિવાર જીવદયા સંસ્થા સેવ બર્ડ ફાઉન્ડેશન અને ફાયરવિભાગની કામગીરીને બિરદાવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...