Thursday, March 12, 2026

કાલુપુર બાદ સાબરમતી સ્ટેશનની કાયાકલ્પ થશે, બુલેટ ટ્રેન-મેટ્રો સ્ટેશન સાથે કનેક્ટ કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાલુપુર સ્ટેશન બાદ હવે સાબરમતી સ્ટેશનને પણ રિડેવલપ કરાશે. સાબરમતી આશ્રમ અને ગાંધીજીની ઝલક જોવા મળે તે રીતે સ્ટેશનની ડિઝાઈન તૈયાર કરાઈ રહી છે. સ્ટેશન બિલ્ડિંગ પર પેસેન્જરોને ગાંધીજીના જીવનથી જોડાયેલા વિવિધ પાસા જેમાં ચરખા,દાંડી કૂચ જોવા મળશે. રેલવે અધિકારીએ જણાવ્યું કે,સાબરમતી સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ રૂ.334.92 કરોડના ખર્ચે શરૂ કરી દેવાયું છે.

સાબરમતીના ધર્મનગર ખાતે આવેલ વર્તમાન સ્ટેશનથી બુલેટ ટ્રેન સ્ટેશન, મેટ્રો ટ્રેન સ્ટેશન તેમજ બીઆરટીએસ સ્ટેશન પણ જોડવામાં આવશે.જેમાં રેલવે સ્ટેશનથી સ્કાયવોક દ્વારા બુલેટ ટ્રેન સ્ટેશન અને મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, સાબરમતી અને એઈસી મેટ્રો સ્ટેશનો તેમજ બીઆરટીએસ સ્ટેશન સુધી પહોંચી શકાશે. સ્ટેશન પર અલગ અલગ આગમન અને પ્રસ્થાન, પેસેન્જર પ્લાઝા, ભૂગર્ભ પાર્કિંગ હશે તેમજ બિલ્ડિંગ પણ ગ્રીન બનાવાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...