Thursday, March 12, 2026

AMC સંચાલિત સ્કૂલોના વિધાર્થીઓનું અનોખું અભિયાન, 150 કિલો દોરીનો કરાયો ઈકોફ્રેન્ડલી નિકાલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા પક્ષીઓ બચાવવા અનોખું અભિયાન હાથ ધરાયું છે. જેમાં સ્કૂલ બોર્ડના 12 હજાર વિદ્યાર્થીઓ દ્વારા ફેંકી દેવાયેલી, ઝાડ પર લટકતી પતંગની દોરીનો જથ્થો એકત્રિત કરાયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે બાળકો દ્વારા એકત્રિત કરાયેલી દોરીનો આ જથ્થો અંદાજે 150 કિલો જેટલો થઈ ગયો છે. હાલ સ્કૂલ બોર્ડ દ્વારા આ જથ્થો ગ્રીન એનર્જી ઉત્તપન્ન કરવા માટે ખાનગી સંસ્થાને આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઉત્તરાયણના આ તહેવાર બાદ પણ પતંગ રસિયાઓ દ્વારા ઠેર-ઠેર ફેંકી દેવાયેલા દોરીના ગુંચડા, ઝાડ પર લટકતી પતંગ સાથેની દોરીઓના કારણે પણ પક્ષી ઘાયલ થતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓના 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી બચાવો જીવદયા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે 150 કિલો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો છે.

આ અભિયાન સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલના સુચન અનુસાર હાથ ધરવામાં આવ્યું હતું. 150 કિલો એકત્રિત કરવામાં આવેલી દોરીનો જથ્થો પાપા નામની સંસ્થાને આપવામાં આવ્યો છે. પર્સનલ આસિસ્ટન્સ પર્સનલ એટેન્શન જેને ટૂંકમાં (PAPA) નામ આપવામાં આવ્યું છે. પાપા સંસ્થાના ડો. સિદ્ધાર્થ ઠાકર આ પ્રકારની પર્યાવરણની પ્રવૃતિઓ કરે છે.

મહત્વનું છે કે, જો આ દોરીનો જથ્થો બાળી નાખવામાં આવે તો પ્રદૂષણ થાય છે. જેથી પ્રદૂષણ ના થાય માટે તેનો ઈકોફ્રેન્ડલી રીતે નાશ કરવો પડે. જે માટે આ એક પ્રાઈવેટ કંપનીને આપીએ છીએ. આ કંપની તેને ગ્રીન ઈલેક્ટ્રીસિટીમાં કન્વર્ટ કરે છે. આ કંપની જુદા-જુદા પ્લાન્ટમાં પ્રોસેસ માટે લઈ જાય છે અને ગ્રીન ઈલેક્ટ્રી સીટીમાં કન્વર્ટ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...