Friday, March 13, 2026

અમદાવાદમાં G20 ને લઈને અટલબ્રિજ સહિતના ફરવાલાયક સ્થળો આ તારીખે રહેશે બંધ, જાણો સમગ્ર વિગત

spot_img
Share

અમદાવાદ : આગામી 9 અને 10 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં યોજાનાર U20 નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશના 150થી વધુ મહાનુભાવો ભાગ લેવા આવવાના છે. 9 ફેબ્રુઆરીના રોજ સાબરમતી ગાંધી આશ્રમ અને રિવરફ્રન્ટ ખાતે તમામ મહાનુભાવો મુલાકાત કરશે અને અટલબિજ ઉપર પણ તેઓ જવાના છે, જેને ધ્યાનમાં રાખી અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે અટલબ્રિજની ટિકિટ બપોરે ત્રણ વાગ્યા સુધી જ મળી રહેશે. સાંજે 4:00 વાગ્યા બાદ અટલબ્રિજ પર વિદેશી મહાનુભાવો આવવાના છે આ ઉપરાંત રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હોવાથી લોઅર પ્રોમિનાડ લોકો (જનતા) માટે બંધ રહેશે. 10 ફેબ્રુઆરીના રોજ કાંકરિયા નગીનાવાડી ખાતે ગાલા ડીનરનું આયોજન વિદેશી મહાનુભાવો માટે કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરને U20 ની યજમાનાની મળી છે, આવનાર વિદેશી મહેમાનો U20 બેઠકની સાથે અમદાવાદ શહેરની આસપાસમાં આવેલ પર્યટન સ્થળોની પણ મુલાકાત લેશે, જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં આવેલ ગાંધીઆશ્રમ, અટલબ્રિજની મુલાકાત લેશે, જેને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ સાંજના 4:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી રિવરફ્રન્ટનો લોવર પ્રોમિનાડ જાહેર જનતા માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પર ભારતનો પહેલો બ્રીજ બનાવામાં આવ્યો છે. આપણા સૌના માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે. જેથી અમદાવાદ શહેરમાં આવનાર મુલાકાતી માટે વધુ એક પ્રવાસનું સ્થળ ઊભું થયું છે. મહેમાનો પણ અટલબ્રીજ મુલાકાત લેવાના છે, તેને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરના લોકો 9 ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધી જ મુલાકાત લઈ શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...