Thursday, March 19, 2026

મેટ્રોનો સમય વધારાતાં મુસાફરો-આવકમાં 10 ટકાનો વધારો, વસ્ત્રાલ-થલતેજ રૃટમાં સૌથી વધુ મુસાફરો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓને સરળતાથી મેટ્રો મળી રહે તે માટે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. AMCની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તંત્રની તિજોરી પણ છલકાઈ છે. ત્યારે બીજી તરફ અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી મેટ્રો ટ્રેનના સમય અને ફ્રિકવન્સીમાં વધારો કરાતાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 6 દિવસમાં 2.39 લાખ મુસાફરો નોંધાયા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 30 જાન્યુઆરીથી મેટ્રોનો સમય વધારીને સવારે 7 થી રાત્રે 10 સુધી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફ્રિકવન્સી અગાઉની 30 મિનિટથી ઘટાડીને 15 મિનિટની કરાઇ હતી. જેના પગલે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જાન્યુઆરી માસ દરમિયાન મેટ્રોમાં કુલ 10,91,939 મુસાફરો નોંધાયા હતા અને કુલ આવક 1.67 કરોડ હતી. આમ, જાન્યુઆરીમાં પ્રતિ દિન સરેરાશ મુસાફરો 35223 અને સરેરાશ આવક રૃપિયા 5.40 લાખ હતી.

જેની સરખામણીએ છેલ્લા 6 દિવસમાં કુલ મુસાફરો 2,39,620 નોંધાયા છે જ્યારે કુલ આવક 37.98 લાખ થઇ છે. આ મુજબ સરેરાશ મુસાફરો વધીને 39336 જ્યારે સરેરાશ આવક વધીને રૃપિયા 6.33 લાખ થઇ છે. આમ, મુસાફરો અને આવકમાં સરેરાશ 10 ટકા જેટલો વધારો નોંધાયો છે. 6 દિવસમાં વસ્ત્રાલ-થલતેજ રૃટમાં 1.73 લાખ મુસાફરો 27.72 લાખની આવક જ્યારે મોટેરા સ્ટેડિયમ-એપીએમસી રૃટમાં 66567 મુસાફરો 10.25 લાખની આવક થયાનું સામે આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...