Wednesday, March 11, 2026

અમદાવાદના યુવકની મુંબઈ IITમાં આત્મહત્યાથી ખળભળાટ, પરિવારનો આક્ષેપ યુવક સાથે થતો જ્ઞાતિ અંગે ભેદભાવ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનો એક આશાસ્પદ યુવક મુંબઈની IITમાં અભ્યાસ કરવા ગયો હતો. પરિવારને આશા હતી કે દિકરો ભણીગણીને સારી નોકરી મેળવશે. માતા-પિતાના ઘડપણની લાકડી બનશે, પરંતુ પરિવારનું આ સપનું રોળાઈ ગયું. જે યુવક પર આશાઓ અપાર હતી, તે યુવકે આપઘાત કરીને મોતને વ્હાલુ કર્યું છે. પરિવારનો લાડકવાયો હવે આ દુનિયામાં નથી, પરંતુ હવે તેના મોત બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે.

ફોટોમાં દેખાઈ રહેલા યુવકનું નામ દર્શન સોલંકી છે. માત્ર 18 વર્ષની ઉંમરના આ દર્શન સોલંકીનું ત્રણ મહિના પહેલા જ મુંબઈ IITમાં અભ્યાસ કરવા સિલેક્શન થયું હતું. જોકે 12 ફેબ્રુઆરીના રોજ પરિવારને તેના આત્મહત્યાના સમાચાર મળતા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.પરંતુ આ ત્રણ મહિનામાં એવું કઇક થયુ કે દર્શને મોતને વ્હાલું કરવું પડ્યું.

IIT મુંબઇમાં અમદાવાદના 18 વર્ષીય વિદ્યાર્થીના આપઘાતનો કેસ હવે એક મોટા વિવાદ તરફ આગળ વધી રહ્યો છે. એક તરફ વિદ્યાર્થીના મોત મામલે IIT મુંબઇએ હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો છે અને ઘટનાને સામાન્ય આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં રહેતા પરિજનોએ દર્શનના આપઘાત માટે જાતિ ભેદભાવને કારણભૂત ગણાવ્યો છે.

દર્શનનું મોત પરિવારજનો માટે કોઇ મોટા આઘાતથી કમ નથી. એક રિપોર્ટ મુજબ પરિવારજનો માની રહ્યા છે કે દર્શન આપઘાત કરે તેવો હતો જ નહીં. તેની હત્યા જ કરવામાં આવી છે, તો એક પિતાને પણ હવે પુત્રના વિરહની વેદના સહન કરવાની શક્તિ નથી રહી. તેઓ પણ કંઇક અજૂગતુ થયાનો આરોપ લગાવી રહ્યા છે.

મહત્વનું છે કે અભ્યાસમાં હોશિયાર યુવક દર્શન સોલંકીને એસ.સી હોવાના કારણે એડમિશન સરળતાથી મળી ગયું હતું અને અનેક લાભો મળતા તેના મિત્રો તેનાથી અણગમો વ્યવહાર કરતા હતા અગાઉ પણ આ વાત દર્શન સોલંકીએ ઉત્તરાયણ દરમ્યાન અમદાવાદ આવ્યો ત્યારે તેની બહેન જાનવી સાથે કરી હતી જેને પગલે પોલીસ હવે ન્યાયિક તપાસ કર્યો તો ખ્યાલ આવે કે આત્મહત્યા અંગે ખરેખર જવાબદાર કારણ શું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...