Thursday, June 25, 2026

અમદાવાદના યુવકની મુંબઈ IITમાં આત્મહત્યાથી ખળભળાટ, પરિવારનો આક્ષેપ યુવક સાથે થતો જ્ઞાતિ અંગે ભેદભાવ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનો એક આશાસ્પદ યુવક મુંબઈની IITમાં અભ્યાસ કરવા ગયો હતો. પરિવારને આશા હતી કે દિકરો ભણીગણીને સારી નોકરી મેળવશે. માતા-પિતાના ઘડપણની લાકડી બનશે, પરંતુ પરિવારનું આ સપનું રોળાઈ ગયું. જે યુવક પર આશાઓ અપાર હતી, તે યુવકે આપઘાત કરીને મોતને વ્હાલુ કર્યું છે. પરિવારનો લાડકવાયો હવે આ દુનિયામાં નથી, પરંતુ હવે તેના મોત બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે.

ફોટોમાં દેખાઈ રહેલા યુવકનું નામ દર્શન સોલંકી છે. માત્ર 18 વર્ષની ઉંમરના આ દર્શન સોલંકીનું ત્રણ મહિના પહેલા જ મુંબઈ IITમાં અભ્યાસ કરવા સિલેક્શન થયું હતું. જોકે 12 ફેબ્રુઆરીના રોજ પરિવારને તેના આત્મહત્યાના સમાચાર મળતા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.પરંતુ આ ત્રણ મહિનામાં એવું કઇક થયુ કે દર્શને મોતને વ્હાલું કરવું પડ્યું.

IIT મુંબઇમાં અમદાવાદના 18 વર્ષીય વિદ્યાર્થીના આપઘાતનો કેસ હવે એક મોટા વિવાદ તરફ આગળ વધી રહ્યો છે. એક તરફ વિદ્યાર્થીના મોત મામલે IIT મુંબઇએ હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો છે અને ઘટનાને સામાન્ય આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં રહેતા પરિજનોએ દર્શનના આપઘાત માટે જાતિ ભેદભાવને કારણભૂત ગણાવ્યો છે.

દર્શનનું મોત પરિવારજનો માટે કોઇ મોટા આઘાતથી કમ નથી. એક રિપોર્ટ મુજબ પરિવારજનો માની રહ્યા છે કે દર્શન આપઘાત કરે તેવો હતો જ નહીં. તેની હત્યા જ કરવામાં આવી છે, તો એક પિતાને પણ હવે પુત્રના વિરહની વેદના સહન કરવાની શક્તિ નથી રહી. તેઓ પણ કંઇક અજૂગતુ થયાનો આરોપ લગાવી રહ્યા છે.

મહત્વનું છે કે અભ્યાસમાં હોશિયાર યુવક દર્શન સોલંકીને એસ.સી હોવાના કારણે એડમિશન સરળતાથી મળી ગયું હતું અને અનેક લાભો મળતા તેના મિત્રો તેનાથી અણગમો વ્યવહાર કરતા હતા અગાઉ પણ આ વાત દર્શન સોલંકીએ ઉત્તરાયણ દરમ્યાન અમદાવાદ આવ્યો ત્યારે તેની બહેન જાનવી સાથે કરી હતી જેને પગલે પોલીસ હવે ન્યાયિક તપાસ કર્યો તો ખ્યાલ આવે કે આત્મહત્યા અંગે ખરેખર જવાબદાર કારણ શું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...