Thursday, November 13, 2025

અમદાવાદના યુવકની મુંબઈ IITમાં આત્મહત્યાથી ખળભળાટ, પરિવારનો આક્ષેપ યુવક સાથે થતો જ્ઞાતિ અંગે ભેદભાવ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનો એક આશાસ્પદ યુવક મુંબઈની IITમાં અભ્યાસ કરવા ગયો હતો. પરિવારને આશા હતી કે દિકરો ભણીગણીને સારી નોકરી મેળવશે. માતા-પિતાના ઘડપણની લાકડી બનશે, પરંતુ પરિવારનું આ સપનું રોળાઈ ગયું. જે યુવક પર આશાઓ અપાર હતી, તે યુવકે આપઘાત કરીને મોતને વ્હાલુ કર્યું છે. પરિવારનો લાડકવાયો હવે આ દુનિયામાં નથી, પરંતુ હવે તેના મોત બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે.

ફોટોમાં દેખાઈ રહેલા યુવકનું નામ દર્શન સોલંકી છે. માત્ર 18 વર્ષની ઉંમરના આ દર્શન સોલંકીનું ત્રણ મહિના પહેલા જ મુંબઈ IITમાં અભ્યાસ કરવા સિલેક્શન થયું હતું. જોકે 12 ફેબ્રુઆરીના રોજ પરિવારને તેના આત્મહત્યાના સમાચાર મળતા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.પરંતુ આ ત્રણ મહિનામાં એવું કઇક થયુ કે દર્શને મોતને વ્હાલું કરવું પડ્યું.

IIT મુંબઇમાં અમદાવાદના 18 વર્ષીય વિદ્યાર્થીના આપઘાતનો કેસ હવે એક મોટા વિવાદ તરફ આગળ વધી રહ્યો છે. એક તરફ વિદ્યાર્થીના મોત મામલે IIT મુંબઇએ હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો છે અને ઘટનાને સામાન્ય આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં રહેતા પરિજનોએ દર્શનના આપઘાત માટે જાતિ ભેદભાવને કારણભૂત ગણાવ્યો છે.

દર્શનનું મોત પરિવારજનો માટે કોઇ મોટા આઘાતથી કમ નથી. એક રિપોર્ટ મુજબ પરિવારજનો માની રહ્યા છે કે દર્શન આપઘાત કરે તેવો હતો જ નહીં. તેની હત્યા જ કરવામાં આવી છે, તો એક પિતાને પણ હવે પુત્રના વિરહની વેદના સહન કરવાની શક્તિ નથી રહી. તેઓ પણ કંઇક અજૂગતુ થયાનો આરોપ લગાવી રહ્યા છે.

મહત્વનું છે કે અભ્યાસમાં હોશિયાર યુવક દર્શન સોલંકીને એસ.સી હોવાના કારણે એડમિશન સરળતાથી મળી ગયું હતું અને અનેક લાભો મળતા તેના મિત્રો તેનાથી અણગમો વ્યવહાર કરતા હતા અગાઉ પણ આ વાત દર્શન સોલંકીએ ઉત્તરાયણ દરમ્યાન અમદાવાદ આવ્યો ત્યારે તેની બહેન જાનવી સાથે કરી હતી જેને પગલે પોલીસ હવે ન્યાયિક તપાસ કર્યો તો ખ્યાલ આવે કે આત્મહત્યા અંગે ખરેખર જવાબદાર કારણ શું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...