Wednesday, January 14, 2026

રાજ્યની સ્કૂલોમાં ગુજરાતી ના ભણાવતી સ્કૂલો સામે કડક કાર્યવાહીની ચેતવણી

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતમાં ગુજરાતી ભાષા ના ભણાવતી સ્કૂલો સામે આકરા પગલા ભરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. રાજ્ય સરકારે કહ્યુ કે બાળકોને ગુજરાતી ના ભણાવતી સ્કૂલો સામે આકરા પગલા લેવામાં આવશે.રાજ્ય સરકારે હાઇકોર્ટનું આકરૂં વલણ જોઈને આ નિર્ણય લીધો છે.

ગુજરાતી સાહિત્યકારોએ આ મામલે સરકારને રજૂઆત કરી હતી. જે સ્કૂલ બાળકોને ગુજરાતી નહી ભણાવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રવક્તા મંત્રીએ કહ્યુ કે સરકારે ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો આદેશ કર્યા પછી કેટલીક ખાનગી સ્કૂલોએ તેનું ઉલ્લંઘન કર્યુ છે. આવી ફરિયાદ સાહિત્યકારો અને નિષ્ણાંતો દ્વારા મળી છે.

રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા અંગે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી જેના આધારે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી હતી. આ અરજીમાં એવો આરોપ મુકવામાં આવ્યો હતો કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી.

ગુજરાતી ના ભણાવતી સ્કૂલો સામે કેવા પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે તેવો સવાલ હાઇકોર્ટે કર્યો હતો, જેના જવાબમાં સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે સ્કૂલો ગુજરાતી નહી ભણાવે તેના સંચાલકોને નોટિસ આપીને પગલા ભરવામાં આવશે. વિશ્વ માતૃભાષા દિનની ઉજવણીની જાહેરાત સમયે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારના પ્રવક્તા મંત્રીએ પગલા લેવાનું ઉચ્ચારણ કર્યુ હતુ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...