Monday, November 10, 2025

રાજ્યની સ્કૂલોમાં ગુજરાતી ના ભણાવતી સ્કૂલો સામે કડક કાર્યવાહીની ચેતવણી

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતમાં ગુજરાતી ભાષા ના ભણાવતી સ્કૂલો સામે આકરા પગલા ભરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. રાજ્ય સરકારે કહ્યુ કે બાળકોને ગુજરાતી ના ભણાવતી સ્કૂલો સામે આકરા પગલા લેવામાં આવશે.રાજ્ય સરકારે હાઇકોર્ટનું આકરૂં વલણ જોઈને આ નિર્ણય લીધો છે.

ગુજરાતી સાહિત્યકારોએ આ મામલે સરકારને રજૂઆત કરી હતી. જે સ્કૂલ બાળકોને ગુજરાતી નહી ભણાવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રવક્તા મંત્રીએ કહ્યુ કે સરકારે ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો આદેશ કર્યા પછી કેટલીક ખાનગી સ્કૂલોએ તેનું ઉલ્લંઘન કર્યુ છે. આવી ફરિયાદ સાહિત્યકારો અને નિષ્ણાંતો દ્વારા મળી છે.

રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા અંગે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી જેના આધારે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી હતી. આ અરજીમાં એવો આરોપ મુકવામાં આવ્યો હતો કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી.

ગુજરાતી ના ભણાવતી સ્કૂલો સામે કેવા પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે તેવો સવાલ હાઇકોર્ટે કર્યો હતો, જેના જવાબમાં સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે સ્કૂલો ગુજરાતી નહી ભણાવે તેના સંચાલકોને નોટિસ આપીને પગલા ભરવામાં આવશે. વિશ્વ માતૃભાષા દિનની ઉજવણીની જાહેરાત સમયે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારના પ્રવક્તા મંત્રીએ પગલા લેવાનું ઉચ્ચારણ કર્યુ હતુ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...