Friday, November 28, 2025

પોલિટિકલ એનાલિસિસ: ગુજરાતમાં આપ શોધે છે ‘માન’, ભાજપથી નારાજ પાટીદાર નેતાને મુખ્યમંત્રીનો ચહરો બનાવવા AAPની સ્ટ્રેટેજી

spot_img
Share

અમદાવાદ6 મિનિટ પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ

પંજાબની જીત બાદ આપનું મનોબળ મક્કમકેજરીવાલ સાથે ભગવંત માન પણ ગુજરાત આવી ચૂંટણી વ્યૂહરચના ગોઠવશે

પંજાબના શાનદાર વિજય બાદ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા જોર લગાવી શકે છે. પરંતુ ગુજરાતમાં આપને પંજાબ જેવા ‘માન’ની તલાશ છે. તેમાં પણ કોઈ પાટીદાર દિગ્ગજને મુખ્યમંત્રીનો ચેહરો બનાવી આપ ગુજરાતમાં ઝંપલાવી શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા હવે અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના પદનામિત મુખ્યમંત્રી ભગવંત માન અને તેમની ટીમ પણ ગુજરાત તરફ વધુ ધ્યાન આપી શકે છે. દિલ્હી બાદ પંજાબ વિજયથી આપનો જૂસ્સો અને ચૂંટણી મેનેજમેન્ટનું મોડલ ગુજરાતમાં પણ અપનાવી શકે છે.

આપની નરેશ પટેલ અને હાર્દિક પટેલ પર નજરગુજરાતમાં ભાજપ સામે જોરશોરથી લડવા માટે આમ આદમી પાર્ટીએ અગાઉ પાટીદાર આગેવાનોને પક્ષમાં લીધા હતા. પરંતુ હાલ આપ વેરવિખેર થઈ ગઈ છે, એટલું જ નહીં ગુજરાતમાં આપ પાસે કોઈ ચોક્કસ ચેહરો કે રાજકીય કુનેહકાર નથી. જેના કારણે આપમાં હાલ એક કરતાં વધુ નેતાઓ પોત પોતાનું રાજકારણ કરી રહ્યા છે. આવા સમયે આપની નજર કોઈ પાટીદાર આગેવાન કે જે મુખ્યમંત્રીનો ચેહરો બની શકે તે તરફ છે, જેમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ આપના ધ્યાનમાં આવી ગયા છે. આપનું ગણિત એવું લાગે છે કે, ગુજરાતમાં પાટીદારો હજુ પણ ભાજપથી ક્યાંકને ક્યાંક અસંતુષ્ટ છે, અને તેનો લાભ લેવા નરેશ પટેલ કે હાર્દિક પટેલને મુખ્યમંત્રીનો ચેહરો બનાવી ગુજરાતમાં ચૂંટણી લડવામાં આવે તો ભાજપને ટક્કર આપી શકે છે.

ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ

ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ

આપના હતાશ નેતાઓમાં જોમ ભરશે, સંગઠનમાં ફેરફારો કરશેઆમ આદમી પાર્ટી પંજાબ પેટર્નથી ગુજરાતમાં સંગઠનથી લઈને ચૂંટણીની વ્યૂહરચના ગોઠવવાની તૈયારીઓ કરવા લાગી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આપની એન્ટ્રી તો થઈ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને બેઠકો પણ મળી હતી. પરંતુ થોડા સમયથી આમ આદમી પાર્ટીમાં ભંગાણ જેવી સ્થિતિ સર્જાતા આપના ગુજરાતના નેતાઓમાં હતાશા જેવી સ્થિતિ ઉભી થઇ હતી. પરંતુ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ જેવા દિગ્ગજ પક્ષને પછાડી ભારે બહુમતી સાથે સત્તા હાંસલ કરી લીધી છે.

ખાસ કરીને વેરવિખેર અને હતાશામાં આવી ગયેલા ગુજરાતના આપના નેતાઓમાં જોમ ભરવાની સાથે સાથે વહેલામાં વહેલી તકે આપ ગુજરાતના સંગઠનમાં મોટા પાયે ફેરફારો કરી પંજાબ પેટર્નથી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા ચૂંટણી જંગમાં ઝંપલાવી શકે છે.

નરેશ પટેલ પત્તા ખોલતા નથીપંજાબના વિજય બાદ હવે અરવિંદ કેજરીવાલ આગામી એક પખવાડિયામાં જ ગુજરાત આવશે અને તે સમયે અનેક દિગ્ગજ નેતાઓ આગેવાનોને આપમાં જોડવા માટે પ્રયાસ કરવામાં આવે એવી શક્યતાઓ છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલ પોતાની રાજકીય ઇનિંગ અંગે હાલ પત્તા ખોલતા નથી અને આગામી દિવસોમાં ધડાકો કરે એવું માનવામાં આવે છે. જ્યારે આપ પાસે હવે કેજરીવાલ ઉપરાંત ભગવંત માન જેવા નેતાઓ છે તે મુખ્યમંત્રી છે અને તે પણ ગુજરાતમાં પ્રચારમાં આવશે તો ફરક પડશે તેમ મનાય છે.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને નિમિષાબેન ખુંટ

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને નિમિષાબેન ખુંટ

આપની હાલની સ્થિતિફેબ્રુઆરી, 2021માં યોજાયેલી 7 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કરી ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. એમાં પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો 27 બેઠક સાથે મુખ્ય વિપક્ષ બની ગઈ હતી, પરંતુ એક વર્ષમાં જ એટલે કે ફેબ્રુઆરી 2022માં સુરત શહેરમાં ઝીરોમાંથી હીરો બનેલી AAPના કોર્પોરેટરોએ પક્ષપલટો કરીને પ્રજાનો દ્રોહ કર્યો છે. આમ AAP સુરતમાંથી સાફ થવા લાગી છે.

સૌથી પહેલા જાન્યુઆરીમાં મહેશ સવાણીએ પાર્ટીને રામ રામ કર્યા હતા. ત્યાર બાદ ફેબ્રુઆરીના પહેલા વીકથી કોર્પોરેટરોએ પણ એક બાદ એકે પાર્ટી છોડવાનું શરૂ કર્યું છે. AAPમાંથી 6 કોર્પોરેટરે રાજીનામાં ધરી દીધાં હતા, જેમાં વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનીષાબેન કુકડિયા, ઋતા કાકડિયા અને કુંદન કોઠિયાનો સમાવેશ થાય છે. આ તમામે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...