Friday, March 13, 2026

નિવૃત્ત IASના પુત્રની દાદાગીરી, AMCના કર્મચારી પર છરીથી હુમલો કર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના થલતેજ વિસ્તારમાં મ્યુનિસિપલના ટેક્સ વસૂલવા ગયેલા સ્ટાફ પર નિવૃત્ત IAS ના પુત્રે ચાકુથી હુમલો કર્યો હતો. હુમલો કરનારનું નામ આશીષ ત્રિપાઠી છે. પ્રાથમિક માહિતી મુજબ નિવૃત્ત IAS અધિકારી AMC માં કમિશનર રહી ચૂકેલા છે. સમગ્ર બનાવને લઈ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના થલેતજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયાની ઘટના સામે આવી છે. હુમલો કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ એક પૂર્વ IAS અધિકારીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ ઉત્તર પશ્ચિમ ઝોન થલતેજમાં ટેક્સની વસૂલાત કરવા માટે ગયો હતો. આ દરમિયાન ગુજરાતના નિવૃત્ત IAS અધિકારી રાધાકાંત ત્રિપાઠીના પુત્ર આશિષ ત્રિપાઠી રોષે ભરાયો હતો અને તેણે અચાનક કોર્પોરેશનના સ્ટાફ પર ચાકુ લઈને તુટી પડ્યો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનમાં થલતેજમાં બનેલી આ ઘટનામાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...