Thursday, March 12, 2026

અમદાવાદ પોલીસની અનોખી ડ્રાઇવ, ભિક્ષાવૃત્તિ કરતા બાળકોનું ભવિષ્ય સુધારવા સરાહનીય પહેલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસે એક અનોખી પહેલ હાથ ધરી છે. જેમાં ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને શોધી તેમના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે બાળ સુરક્ષા અધિકારીઓ સાથે મળીને ‘ઓપરેશન ટ્રાફિક સિગ્નલ’ નામનું ‘મહાઅભિયાન’ શરૂ કર્યું છે. પોલીસનો આ માનવલક્ષી પ્રોજેક્ટ હાલ શહેરના એસજી હાઇવે અને પોશ વિસ્તાર ગણાતા એવા સિંધુભવન વિસ્તારમાં ખાનગી રીતે ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં એક જ દિવસમાં પોલીસને ચાર બાળકો હાથ લાગ્યા હતા. જેને લઇને ચાઇલ્ડ વેલફેર કમિટીને જાણ કરી સંરક્ષણ ગૃહમાં આ બાળકોને મોકલવામાં આવ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસે બાળ તસ્કરી કરીને ભીખ મંગાવતી ગેંગને ધ્યાનમાં રાખીને બાળ સુરક્ષા અધિકારીઓ સાથે મળીને ‘ઓપરેશન ટ્રાફિક સિગ્નલ’ શરૂ કર્યું છે. ગઈ કાલે પશ્ચિમ વિસ્તારમાં આવેલા ટ્રાફિક સીગ્નલ પર પોલીસે સર્ચ કર્યું હતું અને ચાર બાળકોને રેસ્ક્યૂ કર્યાં હતાં. મેગા સીટી અમદાવાદમાં એક બાજુ શોપિંગ મોલ અને મલ્ટીપ્લેક્સની ચમક-દમક છે તો બીજી બાજુ ટ્રાફિક સિગ્નલ પર અનેક જગ્યાએ ભીખ માગતાં માસૂમ બાળકો પણ જોવા મળે છે. રસ્તા પર ક્યાંક મહિલાઓ હાથમાં બાળકને તેડી ભીખ માગતી ફરતી હોય છે. મિસિંગ ચાઇલ્ડના ફોટોગ્રાફ્સને ભિક્ષુક બાળકો સાથે મેચ કરાશે.જે બાળકો ટ્રાફિક સિગ્નલ પર ભીખ માગતાં મળી આવે છે તેમનાં માતા-પિતાનો સંપર્ક કરવામાં આવશે. જો બાળકોનાં માતા-પિતા બોગસ હશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ઓપરેશન વખતે કોઈ બાળકો કે તેમના પરિવારજનો ડરી ન જાય તે માટે પોલીસ ખાનગી ગાડી અને ખાનગી કપડામાં ભાળ મેળવવા પહોંચી રહી છે. અમદાવાદના સિંધુભવન રોડ કે એસજી હાઇવે પર જ્યાં વીવીઆઇપી લોકોની ગાડી ઉભી રહે તેવાં જ આ ભિક્ષાવૃત્તિ કરતા લોકો પહોંચી જાય છે. કોઇક ગાડીના કાચ સાફ કરે છે તો કોઇ વસ્તુઓ વેચી ભિક્ષાવૃત્તિ તથા કમાણી કરતા જોવા મળતા હોય છે. ખાનગી ડ્રેસમાં પહોંચેલ પોલીસની ટીમ દ્વારા એક પરિવારની ભાળ મેળવી હતી. સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી તેમણે આવા અનેક બાળકોને શોધી કાઢ્યા હતા.

એક રિપોર્ટ મુજબ પોલીસ કમિશનર અને સેક્ટર 1ના એડિશનલ સીપી નિરજ બડગુજરે ઝોન 1 અને ઝોન 7માં આવતા 15 પોલીસ સ્ટેશનની એક ટીમ તૈયાર કરી છે. તેમાંય ખાસ એસજી હાઇવે પરના સરખેજ, બોડકદેવ, સેટેલાઇટ, આનંદનગર, સોલા, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને એક ટાસ્ક સોંપ્યો છે.ઓપરેશન ટ્રાફિક સિગ્નલ શરૂ કરી પોલીસ સવારથી રાત સુધી આવા ભિક્ષાવૃત્તિ કરતા લોકો સુધી પહોંચી રહી છે અને આવા બાળકોને બચાવવાની માનવલક્ષી કામગીરી અમદાવાદ પોલીસે હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...