Monday, September 15, 2025

નિર્ણયનગરમાં સ્વામીનારાયણ સ્કુલ બંધ થતા RTE વિધાર્થીઓ-વાલીઓએ રેલી યોજી નોંધાવ્યો વિરોધ

Share

Share

અમદાવાદ : શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ સ્કુલ ફરી વિવાદોમાં આવી છે, સ્કૂલ બંધ થવાને લઈને RTEના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થતા આજે 150થી વધુ વાલીઓએ નિર્ણયનગરથી લઇને ડીઇઓ કચેરી સુધી રેલી યોજી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વિધાર્થીઓ પણ જોડાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ પણ ડીઇઓ સુધી રજૂઆત બાદ કોઇ નિર્ણય ન લેવાતા વાલીઓએ નિર્ણયનગરથી ડીઇઓ કચેરી સુધી રેલી યોજી પોતાનો વિરોધ નોંધાવી વિદ્યાર્થીઓના ભાવિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં આ રેલીમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ પણ હાથમાં પોસ્ટરો લઈને વિરોધ નોધાવ્યો હતો. શાંતિ પૂર્વક માહોલની વચ્ચે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, સ્કુલ બંધ થવાને લઇને RTEના વિદ્યાર્થીઓના એડમિશનને લઇને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 25 દિવસ પહેલા પણ વાલીઓ દ્વારા સ્કૂલ આગળ હોબાળો મચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીઇઓમાં એડમિશનને લઇને વાલીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...