Monday, November 10, 2025

ચૈત્રી નવરાત્રી પર્વમાં અંબાજી મંદિરનો ભંડારો છલકાયો, આટલી રકમની નોંધાઇ આવક

spot_img
Share

અંબાજી : શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. ભાદરવી પૂનમ બાદ ચૈત્રી નવરાત્રી પર્વ દરમ્યાન પણ અંબાજી મંદિરમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે માઇ ભક્તો માતાજીના ભંડારામાં દાન પણ કરતા હોય છે. 28 માર્ચના રોજ અંબાજી મંદિર ભંડાર સ્ટ્રોંગ રૂમમાં ભંડાર ગણતરી કરવામાં આવી હતી જેમાં અંબાજી મંદિર ભંડારા અને ગબ્બર મંદિર ભંડારાની આવક 50 લાખ રૂપિયા કરતાં વધુ નોંધાઈ હતી.

ગુજરાત ફર્સ્ટના રિપોર્ટ મુજબ અંબાજી મંદિરમાં 21 માર્ચના રોજ ભંડાર ગણતરી કરવામાં આવી હતી, ત્યારબાદ 22 માર્ચથી નવરાત્રી પર્વ શરૂ થયો હતો ત્યારે ભક્તો અંબાજી મંદિર અને ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવ્યા હતા અને ભક્તો દ્વારા માતાજીના ભંડારામાં દાન પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે 28 માર્ચના રોજ અંબાજી મંદિર ભંડાર કક્ષમાં સુરક્ષા કર્મીઓની હાજરીમાં મંદિર સ્ટાફ દ્વારા ભંડાર ગણતરી શરૂ કરવામાં આવી હતી, જે બપોર સુધી ચાલી હતી. જેમાં અંબાજી મંદિર ભંડારાની અને ગબ્બર ભંડારાની કુલ આવક 50 લાખ જેટલી નોંધાઈ હતી.

તમને જણાવી દઈએ કે અંબાજી મંદિરમાં માઇ ભક્તો અવારનવાર માતાજીનો ભંડારો છલકાવી દેતા હોય છે ત્યારે ચૈત્રી નવરાત્રી પર્વમાં પણ માઈ ભક્તો અંબાજી મંદિર ખાતે દર્શન કરવા મોટી સંખ્યામાં આવ્યા હતા, ત્યારે અંબાજી મંદિર અને ગબ્બર ખાતે પણ મોટી સંખ્યામાં દાન કર્યું હતું જે કારણે અંબાજી મંદિરનો દાનનો ભંડારો છલકાઈ જવા પામ્યો હતો અને અધધ 50 લાખ 12 હજાર 825 રૂપિયાની આવક નોંધાઇ હતી. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...