Wednesday, April 22, 2026

ચૈત્રી નવરાત્રી પર્વમાં અંબાજી મંદિરનો ભંડારો છલકાયો, આટલી રકમની નોંધાઇ આવક

spot_img
Share

અંબાજી : શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. ભાદરવી પૂનમ બાદ ચૈત્રી નવરાત્રી પર્વ દરમ્યાન પણ અંબાજી મંદિરમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે માઇ ભક્તો માતાજીના ભંડારામાં દાન પણ કરતા હોય છે. 28 માર્ચના રોજ અંબાજી મંદિર ભંડાર સ્ટ્રોંગ રૂમમાં ભંડાર ગણતરી કરવામાં આવી હતી જેમાં અંબાજી મંદિર ભંડારા અને ગબ્બર મંદિર ભંડારાની આવક 50 લાખ રૂપિયા કરતાં વધુ નોંધાઈ હતી.

ગુજરાત ફર્સ્ટના રિપોર્ટ મુજબ અંબાજી મંદિરમાં 21 માર્ચના રોજ ભંડાર ગણતરી કરવામાં આવી હતી, ત્યારબાદ 22 માર્ચથી નવરાત્રી પર્વ શરૂ થયો હતો ત્યારે ભક્તો અંબાજી મંદિર અને ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવ્યા હતા અને ભક્તો દ્વારા માતાજીના ભંડારામાં દાન પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે 28 માર્ચના રોજ અંબાજી મંદિર ભંડાર કક્ષમાં સુરક્ષા કર્મીઓની હાજરીમાં મંદિર સ્ટાફ દ્વારા ભંડાર ગણતરી શરૂ કરવામાં આવી હતી, જે બપોર સુધી ચાલી હતી. જેમાં અંબાજી મંદિર ભંડારાની અને ગબ્બર ભંડારાની કુલ આવક 50 લાખ જેટલી નોંધાઈ હતી.

તમને જણાવી દઈએ કે અંબાજી મંદિરમાં માઇ ભક્તો અવારનવાર માતાજીનો ભંડારો છલકાવી દેતા હોય છે ત્યારે ચૈત્રી નવરાત્રી પર્વમાં પણ માઈ ભક્તો અંબાજી મંદિર ખાતે દર્શન કરવા મોટી સંખ્યામાં આવ્યા હતા, ત્યારે અંબાજી મંદિર અને ગબ્બર ખાતે પણ મોટી સંખ્યામાં દાન કર્યું હતું જે કારણે અંબાજી મંદિરનો દાનનો ભંડારો છલકાઈ જવા પામ્યો હતો અને અધધ 50 લાખ 12 હજાર 825 રૂપિયાની આવક નોંધાઇ હતી. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...