Wednesday, April 22, 2026

ન્યુ રાણીપમાં વીમા એજન્ટને ધમકી આપતા પાંચ વ્યાજખોર સામે ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : શહેરના ન્યુ રાણીપના આશ્રય-9 એપાર્ટમેન્ટમાં રહેતાં વીમા એજન્ટે ધમકી આપતા પાંચ વ્યાજખોરો સામે બુધવારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વીમા એજન્ટ કોરોના મહામારીમાં લોનના હપ્તા અને પુત્રીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લઈને પરિવાર વિષચક્રમાં ફસાયો હતો. બીજી તરફ પૈસા ચુકવ્યા છતાં વધુ વ્યાજ માંગી માથાભારે શખ્સો ધમકી આપતા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ન્યુ રાણીપમાં રહેતાં અને જુદી જુદી કંપનીઓના ઈન્સ્યુરન્સ એજન્ટ તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રશાંતભાઈ રામઅવતાર ધૂત (ઉં,51)એ અરવિંદભાઈ બાબુલાલ પ્રજાપતિ (આશ્રય-9, ન્યુ રાણીપ), રાજુભાઈ ઉર્ફ સંજીવ રાઠોડ (રાજનગર, નારોલ), રાકેશ નરેશભાઈ રાઠોડ (ગણપતિનગર, ન્યુ રાણીપ), લાલુસિંહ વિષ્ણુસિંહ રાજાવત (ચાણક્યપુરી, ઘાટલોડીયા) અને નરેન્દ્રભાઈ સુમેરભાઈ શર્મા (વર્ધમાનકૃપા ફ્લેટ, ઘાટલોડીયા) વિરૂધ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદીએ બેંકમાંથી લોન લઈ પત્નીના નામે મકાન લીધું હતું.

કોરોના મહામારીમાં લોનના હપ્તા ભરાતા ના હોવાથી ફરિયાદીએ 2021માં વ્યાજે રૂપિયા લેવાની શરૂઆત કરી હતી. મકાનના હપ્તાનું વ્યાજ માંડ ભરી રહેલા ફરિયાદીની પુત્રીના 2022માં લગ્ન હતા. આ લગ્નના ખર્ચ માટે વધુ પૈસાની જરૂર પડતા ફરિયાદીએ ફરી વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ લેણદારોને ચુકવવાનું ચાલુ હતુ. જેમાં અમુક લોકોને પેૈસા ચુકવી પણ દીધા હતા. તેમ છતાં માથાભારે શખ્સો વધુ રકમની માંગણી કરી ધાકધમકી આપતા હતા.

આ દરમિયાન બુધવારે ફરિયાદીના ઘરે અરવિંદભાઈ પ્રજાપતિ નામના શખ્સે પહોંચી પૈસા માટે ધાકધમકી આપી હતી. બનાવને પગલે ફરિયાદીની પત્નીએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. સાબરમતી પોલીસે બનાવ અંગે પાંચ વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...