Wednesday, March 4, 2026

ન્યુ રાણીપમાં વીમા એજન્ટને ધમકી આપતા પાંચ વ્યાજખોર સામે ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : શહેરના ન્યુ રાણીપના આશ્રય-9 એપાર્ટમેન્ટમાં રહેતાં વીમા એજન્ટે ધમકી આપતા પાંચ વ્યાજખોરો સામે બુધવારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વીમા એજન્ટ કોરોના મહામારીમાં લોનના હપ્તા અને પુત્રીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લઈને પરિવાર વિષચક્રમાં ફસાયો હતો. બીજી તરફ પૈસા ચુકવ્યા છતાં વધુ વ્યાજ માંગી માથાભારે શખ્સો ધમકી આપતા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ન્યુ રાણીપમાં રહેતાં અને જુદી જુદી કંપનીઓના ઈન્સ્યુરન્સ એજન્ટ તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રશાંતભાઈ રામઅવતાર ધૂત (ઉં,51)એ અરવિંદભાઈ બાબુલાલ પ્રજાપતિ (આશ્રય-9, ન્યુ રાણીપ), રાજુભાઈ ઉર્ફ સંજીવ રાઠોડ (રાજનગર, નારોલ), રાકેશ નરેશભાઈ રાઠોડ (ગણપતિનગર, ન્યુ રાણીપ), લાલુસિંહ વિષ્ણુસિંહ રાજાવત (ચાણક્યપુરી, ઘાટલોડીયા) અને નરેન્દ્રભાઈ સુમેરભાઈ શર્મા (વર્ધમાનકૃપા ફ્લેટ, ઘાટલોડીયા) વિરૂધ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદીએ બેંકમાંથી લોન લઈ પત્નીના નામે મકાન લીધું હતું.

કોરોના મહામારીમાં લોનના હપ્તા ભરાતા ના હોવાથી ફરિયાદીએ 2021માં વ્યાજે રૂપિયા લેવાની શરૂઆત કરી હતી. મકાનના હપ્તાનું વ્યાજ માંડ ભરી રહેલા ફરિયાદીની પુત્રીના 2022માં લગ્ન હતા. આ લગ્નના ખર્ચ માટે વધુ પૈસાની જરૂર પડતા ફરિયાદીએ ફરી વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ લેણદારોને ચુકવવાનું ચાલુ હતુ. જેમાં અમુક લોકોને પેૈસા ચુકવી પણ દીધા હતા. તેમ છતાં માથાભારે શખ્સો વધુ રકમની માંગણી કરી ધાકધમકી આપતા હતા.

આ દરમિયાન બુધવારે ફરિયાદીના ઘરે અરવિંદભાઈ પ્રજાપતિ નામના શખ્સે પહોંચી પૈસા માટે ધાકધમકી આપી હતી. બનાવને પગલે ફરિયાદીની પત્નીએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. સાબરમતી પોલીસે બનાવ અંગે પાંચ વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...