Thursday, March 19, 2026

અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ સહિત આ વિસ્તારમાં રોડ પહોળા થશે, BRTSને સમાંતર સાઈકલ ટ્રેક દૂર કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં BRTSને સમાંતર બનાવવામાં આવેલા સાઈકલ ટ્રેકનો લોકો ઉપયોગ કરતા ન હોવાથી 12 વર્ષ બાદ આખરે મ્યુનિ.એ 3 રૂટ પરના સાઈકલ ટ્રેક તોડવાનો નિર્ણય લીધો છે. જેમાં નરોડા, આરટીઓ અને વસ્ત્રાપુર લેક નજીકના 26.5 કિલોમીટરના રોડ પર સાઈકલ ટ્રેક દૂર કરાશે. વધી રહેલી ટ્રાફિકની સમસ્યાના કારણે બંને બાજુના ટ્રેક દૂર કરી રોડ પહોળો કરાશે.

BRTSને સમાંતર બનાવવામાં આવેલા સાઈકલ ટ્રેકનો લોકો ઉપયોગ જ કરતાં નથી. જેના કારણે ત્યાં લોકોએ ગેરકાયદે દબાણ કરી લીધા છે. જેથી અમુક રૂટ પરના સાઈકલ ટ્રેક દૂર કરીને રોડ પહોળા કરવા માટેનો AMC દ્વારા નિર્ણય લેવાયો છે. પ્રાયોગિક ધોરણે નારોલથી નરોડાના 12 કિલોમીટરના રોડ પરનો સાઈકલ ટ્રેક દૂર કરવામાં આવ્યો છે. જેના કારણે નારોલથી નરોડાનો રોડ પહોળો થતાં ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે. જેથી આગામી દિવસોમાં બીઆરટીએસને પેરેલલ બનાવેલા સાઈકલ ટ્રેક દૂર બંને બાજુના રોડ પહોળા કરવાનું આયોજન છે.

આ વિસ્તારના સાઈકલ ટ્રેક તોડાશે
નારોલથી નરોડા બીઆરટીએસ ટ્રેક12 કિ.મી.
આરટીઓથી પીરાણા સર્કલ તરફ13 કિ.મી.
વસ્ત્રાપુર લેકથી સિંહ સર્કલ તરફ 1.5 કિ.મી

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...