Tuesday, January 27, 2026

અમદાવાદમાં RTE એડમિશન માટે શરુ કરાયું હેલ્પ ડેસ્ક, અહીંથી મળશે તમામ સમસ્યાનો ઉકેલ

spot_img
Share

અમદાવાદ : આજથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. 22 એપ્રિલ સુધી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ખાનગી શાળામાં ધોરણ 1ના વર્ગોમાં પ્રવેશ માટે RTE ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે, જેથી વાલીઓ rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા આમ તો આગામી 22 એપ્રિલ સુધી ચાલવાની છે. તેમ છતાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવામાં કોઈ સમસ્યા હોય કે પછી કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં મુંઝવણ હોય તો તે સમસ્યાનું પણ થશે નિરાકરણ, કારણ કે અમદાવાદની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં RTE એડમિશન માટે હેલ્પલાઈન નંબર તેમજ હેલ્પ ડેસ્ક પણ શરુ કરવામાં આવ્યું છે.

RTE એડમિશનને લઈને પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ ચુકી છે. RTEની વેબસાઈટ પર પ્રવેશ પ્રક્રિયા માટે RTE-1, RTE-2, RTE-3, RTE-4 એમ ચાર લિંકનો ઉપયોગ કરી વાલીઓ ફોર્મ અને ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે. જે માટે 22 એપ્રિલ સુધી એટલે કે 12 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

RTE એડમિશનને લઈને પ્રવેશ પ્રક્રિયા આમ તો ઓનલાઈન છે. પરંતુ જો તેમ છતાં કોઈ વાલીને કોઈ મુંઝવણ હોય તો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હેલ્પ લાઈન નંબર- (079-27912966) પર માહિતી કે ખુટતી વિગત મેળવી શકે છે. આ ઉપરાંત ડીઈઓ કચેરી દ્વારા બોર્ડની પરિક્ષા સમયે શરુ કરવામાં આવેલી વોટ્સએપ હેલ્પલાઈન સેવા પણ આ પ્રક્રિયા માટે ઉપયોગી થશે. જે માટે એક નંબર શરુ કરવામાં આવ્યો હતો. આ નંબર છે 9909922648. હવે વાલીઓ આ નંબર નોંધી લે.

જો RTE એડમિશનને લઈને કોઈ પણ તકલીફ પડી રહી હોય તો વોટ્સએપ કરીને પણ વાલીઓ પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે છે. આટલું જ નહીં જો વાલીઓ પુછપરછ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આવી ગયા તો તેઓને પણ સંતોષકારક જવાબ મળી રહે તે માટે આરટીઈ એડમિશન હેલ્પ ડેસ્ક પણ શરુ કરવામાં આવ્યું છે. જ્યાંથી વાલીઓ ફોર્મ ભરવાની વિગતો ડોક્યુમેન્ટની વિગતો સહિત જે પણ સમસ્યા હોય તો તેનો ઉકેલ મેળવી શકે છે.

મહત્વનું છે કે, RTE એડમિશન માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન છે. સાથે જ વાલીઓને એવી પણ અપીલ કરવામાં આવી છે કે, જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરે તે ઓરિજનલ અપલોડ કરવાના રહેશે. કોઈપણ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ એડમિશન માટે માન્ય ગણાશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...