Saturday, November 8, 2025

AMTSના ડ્રાઇવર અને કંડક્ટરે માનવતા મહેકાવી, 40 હજાર રોકડા અને સોનાની ચેઇન કરી પરત

spot_img
Share

અમદાવાદ: પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પાડે એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. અમદાવાદ AMTS ડ્રાઇવર અને કંડક્ટરની માનવતા મહેકી ઉઠી હતી. બસમાં રોકડ રૂપિયા અને સોનાની ચેઇન મળી આવતા AMTS ડેપો ખાતે જમા કરાવ્યુ હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMTSની રૂટ નંબર 51 શટલ બસ નંબર બસના ડ્રાઇવર રોશનલાલ અને કંડક્ટર મુકેશભાઇ જે બસ ચલાવી રહ્યા હતા. તેમાં કોઇ પ્રવાસી દ્વારા સાંજના સમયે રૂપિયા 40 હજાર રોકડા અને સોનાની ગળાની ચેન જેનું વજન 10.090 ગ્રામ તથા પરચૂરણ વસ્તુ ભરેલી થેલી મળી આવી હતી. કંડક્ટર અને ડ્રાઇવર દ્વારા પૈસા ભરેલી થેલી અને સોનાની ચેન સુરક્ષિત AMTS ડેપો ખાતે ઉચ્ચધિકારીની હાજરીમાં જમા કરાવેલ હતી.

લાલ દરવાજા ડેપો બાદ અધિકારીઓ દ્વારા પૈસા ભરેલા થેલી અને સોનાની ચેઇન જમાલપુર મુખ્ય બિલ્ડીગ ખાતે જમા કરાવી દેવામાં આવી હતી. જો AMTS સ્ટાફ દ્વારા ખાનગી તપાસ થતા કોઇ વારસદાર મળ્યું ન હતુ. જેથી આખરે AMTS મુખ્ય બિલ્ડીગ જમાલપુર ખાતે પૈસા અને સોનાની ચેન જમા કરાઇ છે.

કંડક્ટરે ભૂતકાળમાં પણ અંદાજિત છ મહિના પહેલા તેમની બસમાં એક પ્રવાસી રૂ 5000/- રોકડા ભરેલું પર્સ ભૂલી ગયેલ. જે થોડા જ સમયમાં લાલદરવાજા ઓફિસમાં પ્રવાસી આવતા કંડકટરને રૂબરૂ બોલાઈ ખરાઈ કરી તેમને જમાં આપેલ હતું.

AMTSના ડ્રાઇવર માટે હમેશાં કહેવાય છે કે, તેઓ બેફામ બસ ચલાવે છે. પરંતુ આજે પણ આ પ્રકારના ઘટના સામે આવતા ડ્રાઇવર અને કંડક્ટર સામે જોવાનો દ્રષ્ટીકોણ જ બદલાઇ જાય છે. આથી કહેવાય છે કે, હજુ માનવતા મરી પરવારી નથી, માનવતા હજુ પણ મહેકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...