Thursday, February 5, 2026

AMTSના ડ્રાઇવર અને કંડક્ટરે માનવતા મહેકાવી, 40 હજાર રોકડા અને સોનાની ચેઇન કરી પરત

spot_img
Share

અમદાવાદ: પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પાડે એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. અમદાવાદ AMTS ડ્રાઇવર અને કંડક્ટરની માનવતા મહેકી ઉઠી હતી. બસમાં રોકડ રૂપિયા અને સોનાની ચેઇન મળી આવતા AMTS ડેપો ખાતે જમા કરાવ્યુ હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMTSની રૂટ નંબર 51 શટલ બસ નંબર બસના ડ્રાઇવર રોશનલાલ અને કંડક્ટર મુકેશભાઇ જે બસ ચલાવી રહ્યા હતા. તેમાં કોઇ પ્રવાસી દ્વારા સાંજના સમયે રૂપિયા 40 હજાર રોકડા અને સોનાની ગળાની ચેન જેનું વજન 10.090 ગ્રામ તથા પરચૂરણ વસ્તુ ભરેલી થેલી મળી આવી હતી. કંડક્ટર અને ડ્રાઇવર દ્વારા પૈસા ભરેલી થેલી અને સોનાની ચેન સુરક્ષિત AMTS ડેપો ખાતે ઉચ્ચધિકારીની હાજરીમાં જમા કરાવેલ હતી.

લાલ દરવાજા ડેપો બાદ અધિકારીઓ દ્વારા પૈસા ભરેલા થેલી અને સોનાની ચેઇન જમાલપુર મુખ્ય બિલ્ડીગ ખાતે જમા કરાવી દેવામાં આવી હતી. જો AMTS સ્ટાફ દ્વારા ખાનગી તપાસ થતા કોઇ વારસદાર મળ્યું ન હતુ. જેથી આખરે AMTS મુખ્ય બિલ્ડીગ જમાલપુર ખાતે પૈસા અને સોનાની ચેન જમા કરાઇ છે.

કંડક્ટરે ભૂતકાળમાં પણ અંદાજિત છ મહિના પહેલા તેમની બસમાં એક પ્રવાસી રૂ 5000/- રોકડા ભરેલું પર્સ ભૂલી ગયેલ. જે થોડા જ સમયમાં લાલદરવાજા ઓફિસમાં પ્રવાસી આવતા કંડકટરને રૂબરૂ બોલાઈ ખરાઈ કરી તેમને જમાં આપેલ હતું.

AMTSના ડ્રાઇવર માટે હમેશાં કહેવાય છે કે, તેઓ બેફામ બસ ચલાવે છે. પરંતુ આજે પણ આ પ્રકારના ઘટના સામે આવતા ડ્રાઇવર અને કંડક્ટર સામે જોવાનો દ્રષ્ટીકોણ જ બદલાઇ જાય છે. આથી કહેવાય છે કે, હજુ માનવતા મરી પરવારી નથી, માનવતા હજુ પણ મહેકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...