અમદાવાદ : અમદાવાદમાં રમાનારી T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા ભારતીય ખેલાડીઓ હનુમાન ટેકરી મંદિરે પહોંચ્યા હતા. ક્રિકેટર હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ગૌતમ ગંભીર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આવેલા હનુમાનજી મંદિરે પહોંચાડ્યા હતા. જ્યાં તેઓએ દર્શન કરી આવતીકાલે T20 વર્લ્ડ કપની આવતીકાલની ફાઈનલ મેચમાં સારી રીતે રમવા માટે પ્રાર્થના કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મોટેરા સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે 8મી માર્ચ, રવિવારે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાનાર છે. જેની પહેલા ભારતીય ક્રિકેટરો હાલ સ્ટેડિયમ નજીક આવેલા હનુમાન ટેકરી મંદિરે દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ગૌતમ ગંભીર હનુમાનજીના દર્શન કરવા પહોંચ્યા હતા. એક એક્ટિવા સવાર યુવકે તેમને મંદિર સુધીનો રસ્તો બતાવી તેઓને મંદિરે પહોંચાડ્યા હતા.
આવતીકાલના ન્યૂઝિલેન્ડ સામેનો ફાઈનલ મુકાબલો જીતવા માટે હનુમાનજી દાદાના આશીર્વાદ લીધા હતા. મંદિરમાં દર્શન દરમિયાન મહંત ઈશ્વરદાસજી મહારાજએ ભારતીય ટીમને આશીર્વાદ આપ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારતીય ટીમ આવતીકાલની ફાઇનલ મેચમાં સારું પ્રદર્શન કરશે અને દેશનું નામ રોશન કરશે. મંદિરના પૂજારીએ ખેલાડીઓને જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


