Sunday, March 15, 2026

અમદાવાદમાં નવા વાડજ સહિત આ 142 જગ્યાએ નવા રોડ બનશે, જાણો ક્યા ઝોનમાં સૌથી વધુ રોડ બનશે?

spot_img
Share

અમદાવાદ: શહેરમાં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા તથા રસ્તા તૂટી જવા કે કપચીઓ ઉખડી જવાની સમસ્યાઓ સામે આવતી હોય છે.જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરમાં જ્યાં પણ તૂટેલા રોડ છે, તેને ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ આદેશ આપ્યા છે. પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૂપે શહેરમાં જ્યાં પણ તૂટેલા રોડ છે અથવા નવા રોડ બનાવવાના છે, તેની કામગીરી 31 મે પહેલા પૂર્ણ થઈ જાય તેની સૂચના આપી દેવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલા કુલ 142 જેટલા રોડ પૂર્ણ કરવાના છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. શહેરના બોપલ, ઘુમા, થલતેજ, ચાંદલોડિયા, ગોતા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં સૌથી વધુ 27 જેટલા રોડ ચોમાસા પહેલા પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે તો પશ્ચિમ ઝોનમાં પણ સાબરમતી, ચાંદખેડા, વાસણા, પાલડી, વાડજ, નારણપુરા ઘાટલોડીયા સહિતના વિસ્તારોમાં 20થી વધુ રોડ બનાવવાના છે.

ગુજરાત હાઇકોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામું રજૂ કર્યું, જેમાં 1722 જેટલા સ્થળોએ સમારકામની આવશ્યકતા હોવાની રજૂઆત કરી હતી. ચોમાસા પહેલા શહેરમાં કુલ 95,642 મીટર લંબાઈના રોડ બનાવવાના છે. પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૂપે અલગ-અલગ વિભાગો દ્વારા વિભાગીય કામગીરીઓ વરસાદને અનુલક્ષીને શરૂ કરવામાં આવી છે. આ તરફ રોડ વિભાગ દ્વારા પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...