Monday, September 15, 2025

નવા વાડજમાં કાલુપુર કો-ઓપરેટીવ બેંક દ્વારા વિશેષ સેમિનાર યોજાયો

Share

Share

અમદાવાદ : શહેરમાં દરેક વિસ્તારમાં આમ જોવા જઈએ તો અનેક નેશનલાઈઝ અને કો-ઓપરેટીવ બેંકો આવેલી છે. સામાન્ય રીતે કોઈપણ નાગરિક રોજે રોજના વ્યવહાર માટે નેશનલાઈઝ બેંક કરતાં કો-ઓપરેટીવ બેંકને વધારે મહત્વ આપે છે. આવી અનેક કો-ઓપરેટીવ બેંકમાંની એક એટલે કાલુપુર કો-ઓપરેટીવ બેંક.

નવા વાડજમાં 132 ફૂટ રીંગ રોડ પર નીલ કોમ્પ્લેક્સમાં આવેલ કાલુપુર બેંકમાં તા.28-6-23 ને બુધવારના રોજ ગ્રાહકો સાથે છેલ્લામાં છેલ્લી બેન્કિંગ વ્યવસ્થાની સવલતો બાબતે રૂબરૂ માહિતી સેમિનાર રાખવામાં આવ્યો. આ સેમિનારમાં બેંકમાં જમા થયેલ થાપણ તથા બેન્ક દ્વારા આપવામાં આવેલ લોનની વિગત અને તેની સાથે સાથે ઓનલાઇન અને ઇન્ટરનેટ બેન્કિંગ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન નવા વાડજ બ્રાન્ચના મેનેજર કુશભાઈ શાહ અને બેંકના અન્ય ઓફિસરોએ આપી હતી.

આ ઉપરાંત સેમિનારમાં બેંક દ્વારા હોમલોનની સાથે સાથે વિવિધ વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકો માટે આપવામાં આવતી વિશેષ લોનની માહિતી પણ આપવામાં આવી હતી. વાહન લોન, એજ્યુકેશન લોન અને લોન આપવા માટે મેનેજરને અપાયેલ વિશેષ સત્તાની માહિતી પણ બેંકે ગ્રાહકોને આપી હતી. આ સેમિનારમાં ભાગ લેનાર બેંકના ખાતેદારોએ તેમની મૂંઝવણો રજૂ કરતાં, બેંકના સ્ટાફે દરેક પ્રશ્નનો સુયોગ્ય ઉકેલ જણાવ્યો હતો. આ સેમિનારમાં મોટી સંખ્યામાં બેંકના ખાતેદારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...