Thursday, January 15, 2026

નવા વાડજમાં કાલુપુર કો-ઓપરેટીવ બેંક દ્વારા વિશેષ સેમિનાર યોજાયો

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દરેક વિસ્તારમાં આમ જોવા જઈએ તો અનેક નેશનલાઈઝ અને કો-ઓપરેટીવ બેંકો આવેલી છે. સામાન્ય રીતે કોઈપણ નાગરિક રોજે રોજના વ્યવહાર માટે નેશનલાઈઝ બેંક કરતાં કો-ઓપરેટીવ બેંકને વધારે મહત્વ આપે છે. આવી અનેક કો-ઓપરેટીવ બેંકમાંની એક એટલે કાલુપુર કો-ઓપરેટીવ બેંક.

નવા વાડજમાં 132 ફૂટ રીંગ રોડ પર નીલ કોમ્પ્લેક્સમાં આવેલ કાલુપુર બેંકમાં તા.28-6-23 ને બુધવારના રોજ ગ્રાહકો સાથે છેલ્લામાં છેલ્લી બેન્કિંગ વ્યવસ્થાની સવલતો બાબતે રૂબરૂ માહિતી સેમિનાર રાખવામાં આવ્યો. આ સેમિનારમાં બેંકમાં જમા થયેલ થાપણ તથા બેન્ક દ્વારા આપવામાં આવેલ લોનની વિગત અને તેની સાથે સાથે ઓનલાઇન અને ઇન્ટરનેટ બેન્કિંગ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન નવા વાડજ બ્રાન્ચના મેનેજર કુશભાઈ શાહ અને બેંકના અન્ય ઓફિસરોએ આપી હતી.

આ ઉપરાંત સેમિનારમાં બેંક દ્વારા હોમલોનની સાથે સાથે વિવિધ વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકો માટે આપવામાં આવતી વિશેષ લોનની માહિતી પણ આપવામાં આવી હતી. વાહન લોન, એજ્યુકેશન લોન અને લોન આપવા માટે મેનેજરને અપાયેલ વિશેષ સત્તાની માહિતી પણ બેંકે ગ્રાહકોને આપી હતી. આ સેમિનારમાં ભાગ લેનાર બેંકના ખાતેદારોએ તેમની મૂંઝવણો રજૂ કરતાં, બેંકના સ્ટાફે દરેક પ્રશ્નનો સુયોગ્ય ઉકેલ જણાવ્યો હતો. આ સેમિનારમાં મોટી સંખ્યામાં બેંકના ખાતેદારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...